________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૯૮ બસ સ્વયંથી થાય છે. જો આવ્યું “થવા યોગ્ય થાય છે.' સ્વયંથી થાય છે. (શ્રોતા થવા યોગ્ય થાય છે.) બસ સ્વયંથી થાય છે આત્મા જ્ઞાતા થઈ જાય છે. એટલે જાણનારો જણાય છે.
આમ સ્વયંથી થાય છે ને? ઓલું આવી ગયું બેન ! બેય સ્વભાવ હતા જ્ઞાતા થઈ જાય હોં. થશે એમ નહીં (શ્રોતા- ઈ જ વખતે થઈ જાય છે.) ઈ જ વખતે બસ. (“થવા યોગ્ય થાય છે જાણનાર જણાય છે.” “બસ સ્વયંથી થાય છે એમાં આત્મા જ્ઞાતા થઈ જાય છે. ) થઈ જાય છે બસ. જ્ઞાતા ક્યારે થાય કે જ્ઞાયકને જાણે ત્યારે બસ! ( જ્ઞાયક ક્યારે જણાય? કે થવા યોગ્ય થાય છે ત્યારે.) થવા યોગ્ય થાય છે ત્યારે.
જુઓ આ એક વાત પાછી બહુ સરસ આવે છે. નયના વિકલ્પોમાં એ વિકલ્પનો કર્તા બની જાય છે. નયોના જે વિકલ્પ ઊઠે છે એમાં નયનો જ્ઞાતા નથી બનતો પણ કર્તા બને છે. નયના વિકલ્પોમાં એ વિકલ્પનો કર્તા બની જાય છે, પછી નયાતિક્રાંત થાય પછી વિકલ્પનો જ્ઞાતા કહેવાય એ જુદી વાત છે. આ તો કર્તા બની જાય છે. (શ્રોતા- બની જાય છે નય વિકલ્પમાં વિકલ્પનો કર્તા બને છે.) કર્તા બને છે એવો પાઠ પણ છે ને-૯૫ નંબર નો કળશ છે. ( શ્રોતા-હવે એજ આવશે હમણાં)
નયના વિકલ્પમાં એ વિકલ્પનો કર્તા બની જાય છે, રાગનો કર્તા બની જાય છે. નય કહો કે રાગ કહો બેય લઈ લીધું. ઈન્દ્રિયજ્ઞાન-ખંડજ્ઞાન અને રાગ. આહાહા ! એને ખબર જ નથી પડતી. જો વિકલ્પ છૂટે તો જ્ઞાન પ્રગટ થાય. તો વિકલ્પની હારે કર્તાકર્મ છૂટી જાય તો જ્ઞાનનો કર્તા બને. બને! અહાહા ! જ્ઞાતા થઈ જાય છે. આ રહસ્ય છે. આહાહા ! ગજબ છે હોં ! આબેહૂબ આવ્યું છે. ( શ્રોતા- બધી સૂક્ષ્મ વાત છે. )
નયોના વિકલ્પમાં એ વિકલ્પનો કર્તા બની જાય છે, રાગનો કર્તા બની જાય છે, એને ખબર જ નથી પડતી. જો વિકલ્પ છૂટે તો જ્ઞાન પ્રગટ થાય. તો જ્ઞાનનો કર્તા બને, જ્ઞાતા થઈ જાય છે, આ રહસ્ય છે. (શ્રોતા- આ રહસ્ય બતાવીને આપે અનંતો ઉપકાર કર્યા છે.) મને કાલથી વારંવાર વિચાર આવે છે, આપણે જે ચર્ચા કરીએ છીએ; નવમા કળશ ઉપરની કે ‘દ્રવ્ય અને પર્યાય બને નહીં આલિંગિત' એવું શુદ્ધાત્માનું સ્વરૂપ દષ્ટિમાં આવી ગયું. બહુ સરસ વાત છે, એટલે બે પ્રકારના નયોના વિકલ્પ ઊઠતા” તા પર્યાયમાં પર્યાયને પણ સાપેક્ષથી જુઓ તો વિકલ્પ, અને દ્રવ્યને પણ સાપેક્ષથી જુઓ તો વિકલ્પ. આહાહા !!
(શ્રોતા- “દ્રવ્ય-પર્યાય બન્નેને નહીં આલિંગિત' નહીં આલિંગિત આહાહા ! એ જ વાત આ છે, સ્વભાવને આલિંગન કર્યું, નયના વિકલ્પ છૂટયા, જ્ઞાન પ્રગટ થઈ ગયું, તો જ્ઞાનનો કર્તા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com