SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૯૨ ચર્ચાનં-૮ રાજકોટ ધ્યેયપૂર્વક શેયની વાત વર્ષોથી કરું છું પણ... એમાં શું મર્મ છે કે તમે વખતોવખત આ વાત કરો છો? (પરિણામનો કર્તા પરિણામ છે એ સ્વભાવ સિદ્ધ વાત છે.) કઈ નયથી છે પરિણામનો કર્તા પરિણામ? (શ્રોતા- સ્વભાવથી જ છે.) વ્યવહાર નયથી ન કહો તો કાંઈ નહીં પણ નિશ્ચયનયથી એક ભાવ આશ્રિત છે. એ તો નિશ્ચય છે. નિશ્ચયથી કર્તા છે એમ કહેવામાં કોઈ દોષ આવે? (શ્રોતા-દોષ આવે ને! આત્મા વ્યવહારથી કર્તા છે એમ આવે.) એમ આવે? ઠીક ! સ્વભાવ ક્યાં આવ્યો એમાં? (શ્રોતા-નયમાંથી નય આવે) અને સ્વભાવમાંથી સ્વભાવ આવે. (શ્રોતાસ્વભાવમાંથી સ્વભાવ આવે.) નય ન આવે? ઠીક. એમ કાંઈ બોલો તો ખબર પડે. (શ્રોતા-નિશ્ચયનય કહેશો તો વ્યવહારનય આવશે, નયમાંથી તો નય જ આવે! સ્વભાવ ન આવે.) નયમાંથી નય આવતાં “ના” જ આવે અનુભવ ન આવે. આહાહા ! પરિણામનો કર્યા પરિણામ છે એ સ્વભાવસિદ્ધ છે. નિશ્ચયનયે પર્યાય પર્યાયને કરે છે એમ પણ ન લેવું. જો નિશ્ચયનયે પર્યાય પર્યાયનો કર્તા છે એમ લેશો તો વ્યવહારનયે આત્મા પર્યાયનો કર્તા છે એવો ઉપચારનો દોષ આવી જશે. દોષ છે! ગુણ નથી ! બેન! ગજબ છે હો !! કોઈ પળ હતી આ બસ. હું? જે અમૃતચંદ્ર આચાર્ય કહે છે એ સાચું છે હો આ પુગલની રચના છે એમ જાણો. “હે! મોહી જીવ એમ ન નાચો....કે આ અમૃતચંદ્રસૂરિનું કથન છે' માટે યનો કર્તા પર્યાય સ્વભાવથી જ છે. નિશ્ચયનયે પર્યાય પર્યાયને કરે છે એમ પણ ન લેવું. કોઈ નયથી સ્વરૂપની પ્રાપ્તિ નથી. જ્ઞાનથી સ્વરૂપની પ્રાપ્તિ છે. સ્વભાવથી સ્વભાવની પ્રાપ્તિ છે. પર્યાયને એના સ્વભાવથી જોતાં, એની કરવાની બુદ્ધિ છૂટી જાય છે અને કરવાનો ઉપચાર પણ છૂટી જાય છે. “થવા યોગ્ય થાય છે,” બસ એક જ મંત્ર. “થવા યોગ્ય થાય છે,' એને કોઈ બીજો કોઈ નયથી કરે છે, એ સને બીજો કોઈ કોઈ નથી કરે છે એ લાગુ પડતુ નથી. “થવા યોગ્ય થાય છે,' એને કર્મથી થાય છે એમ લાગુ ન પડે, અને જીવથી થાય છે એ પણ લાગુ ન પડે “થવા યોગ્ય થાય છે,” એના સ્વભાવથી પર્યાય થાય છે. એને જીવ કરે છે એમ પણ લાગુ પડતું નથી. અને કર્મ કરે છે એમ પણ લાગુ પડતું નથી. તમે કહો છો નિર્મળ પર્યાયમાં ત્રિકાળી ઉપાદાન કર્તાપણું કરે છે, અને મલિન પર્યાયમાં વિકારને જડ કર્મ નિમિત્ત પણ કરે છે, ભલે તમે વ્યાપ્ય વ્યાપક ન લ્યો! પણ નિમિત્તપણે તો નિર્મળ પર્યાયને આત્મા કરે છે, અને વિકારી પર્યાયને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008236
Book TitleDravya Svabhaav Paryaya Svabhaav
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1999
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy