________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૮૪ પર્યાયને કરે છે તે કર્તાપણાનો ઉપચાર નીકળી જાય છે.) કર્તાનનો નિષેધ થઈ ગયો ને! પર્યાય પર્યાયના સ્વભાવથી કાર્ય કરે છે બસ. આત્મા એને કરે છે તે ઉપચાર નીકળી ગયો ને ? ઉપચાર નીકળ્યા ભેગો જ અનુપચારમાં આવી ગયો. ( શ્રોતા-અભેદ થઈ ગયો ) શું કહ્યું એણે? અભેદ થઈ ગયો. એટલે અભેદથી જો ને તો કર્તાનય ને અકર્તાનય છે. આ બધા નયોનાં કથનો ભેદનાં છે ને? (શ્રોતા-અભેદ જ તો છે બસ. એક અભેદ જાનહાર.) એટલું જ છે બસ. અભેદમાં ભેદ દેખાતો નથી.
(ભાઈ ! આપે દ્રવ્ય સ્વભાવની સાથે સાથે પર્યાય સ્વભાવ લઈ લીધું છે ને એ ગજબ કર્યું છે. બહુ જ ગજબની વિચિક્ષણતા છે.) એ... ઈ... જ્ઞાનનું જ્ઞાન થયું છે હોં ! જ્ઞાનનું જ્ઞાન થયું છે. એનું કારણ છે કે એમાં અનુભવ થયો હતો ને? “થવા યોગ્ય થાય છે.” એમાં આત્મા નિશ્ચયનય કરે છે કે વ્યવહારનયે કરે છે કે નિશ્ચયનયે અકર્તા છે એવું કાંઈ ન આવ્યું.” થવા યોગ્ય થાય છે, જાણનાર જણાય છે.” જ્યાં થવા યોગ્ય થાય છે એવો ભાવ ઊઠયો ત્યાં દષ્ટિ દ્રવ્ય ઉપર આવે છે. આ મહામંત્ર છે. આ પર્યાય સ્વભાવ એમાં દ્રવ્યને-આત્માને જોયું નહીં. બિલકુલ સત્ય વાત આ છે.
(“થવા યોગ્ય થાય છે. જાણનાર જણાય છે.”) એમાં પરિણામ પ્રત્યેની ઉદાસીનતા કેટલી થઈ ગઈ. (પર્યાય સ્વભાવને જાણ્યું ને તો એના પ્રત્યે પરમ ઉદાસીનતા થઈ ગઈ ) પરમ ઉદાસીનતા હોં! એ કર્તાનું કર્મ પણ ન થયું, ને જ્ઞાનનું શેય પણ ન થયું. આહા જ્ઞાતા તો અહીં આવી ગયો. અને ઈ જ વખતે આત્મા શય થઈ ગયો હોં! (કેમકે જાણનાર જણાય છે ને! જાણનાર જ્ઞય થઈ ગયું. ) જાણનાર જ્ઞય થઈ ગયું અને ઓલું ય ન થયું. (થવા યોગ્ય કર્મ તો ન થયું પણ થવા યોગ્ય જ્ઞય પણ ન થયું છે. કેમ કે “જાણનાર જણાય છે એટલે આત્મા ય થઈ ગયો. ઓલું કર્મ ન થયું અને ઓલું વિકલ્પ શેય ન થયું તે આત્મા શય થઈ ગયો. (બરાબર.)
બેન ! આ તો મંત્ર આવ્યો હોં! (બહુ સરસ.) બેન ! હું તમને કહ્યું કે સાક્ષાત દિવ્ય ધ્વનિમાંથી નીકળેલી વાત, તેમાં માલ કેટલો હશે ! ! (શ્રોતા-ઘણો માલ. ઘણો માલ હોય હોં!) અમારા ઉપર અનંતો ઉપકાર છે સીમંધર નાથનો આહા !
૪૭ નયમાં ઉપચાર કહ્યો. જ્યારે અહીં આ ઉપચારનો પણ નિષેધ કરી નાખ્યો બસ. ઉપચારનો નિષેધ કરતાં, અણઉપચારમાં આવી ગયો ને! (“થવા યોગ્ય થાય છે અને જાણનારો જણાય છે.” આ પરમાર્થ પ્રતિક્રમણનું સ્વરૂપ છે.) હા, પરમાર્થ પ્રતિક્રમણનું સ્વરૂપ છે. (પરમાર્થ પ્રતિક્રમણમાં એમ કીધું કે કરતો નથી, કરાવતો નથી, અનુમોદતો નથી એટલે કે થવા યોગ્ય થાય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com