________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૮૩ એમ આવ્યું ને? (કર્તાનય છોડવા જેવી છે કે રાખવા જેવી છે? કર્તાનય છૂટે કેવી રીતે તે એમાં (પરમાર્થ પ્રતિક્રમણમાં) વિધિ છે. પર્યાયને (તેના) સ્વભાવથી દેખ તો ઉપચાર નીકળી જશે. આ પરમાર્થ પ્રતિક્રમણ છે.) આ તો કોઈ પળ હતી. (દ્ર. સ્વ. –૫. સ્વ.) બીજું કાંઈ નથી. (શ્રોતા-અંદર કેવી કેવી સૂક્ષ્મ વાતોનો કેવો ઉકેલ!) સૂક્ષ્મ એકદમ.
આપણે પ્રવચનસાર વાંચીએ ત્યાં તો અમૃતચંદ્ર આચાર્ય ભગવાન કહે છે કે, કર્તાનયે કર્તા છે. અને તમે કહો છો વ્યવહાર છે-ઉપચાર છે તેમ કહો છો. (દ્રવ્ય સ્વભાવ-પર્યાય સ્વભાવમાં.) કર્તા નથી તેમ સિદ્ધ કરો છો. ત્યાં (પ્રવચનસારમાં) ઉપચારથી કર્તા કહ્યું છે. આવી ચર્ચા આવે ત્યારે આપણે ચર્ચા કરવી જોઈએ. કેમ કે ( શ્રોતા- આમાં તો ઊંડી ને ગંભીર વાતો છે.) ગંભીર એટલે સારી છે. શુદ્ધોપયોગ થવાનો સાર છે. નિર્વિકલ્પ ધ્યાનમાં ચાલ્યો જાય છે. (શ્રોતા- પરમાર્થ પ્રતિક્રમણ થઈ જાય છે. છઠ્ઠ ગુણસ્થાન હોય તો સાતમું આવી જાય છે.)
આત્મા કર્તા છે એ ઉપચાર છે; ઈતું કાઢી નાખ. એનો ધર્મ શું છે? એમાં આત્માને (ત્રિકાળી) જોડમાં. અને એના પર્યાયના સ્વભાવથી જો. જ્યાં (સ્વભાવથી) જોયું ત્યાં શુદ્ધ ઉપયોગ થઈ જાય છે. હું ઉપચારથી કરું છું ત્યાં સુધી વિકલ્પ આવશે, પણ નિર્વિકલ્પ ધ્યાન નહીં આવે. (બરાબર) પછી અકર્તાનય આવશે. અકર્તાનયે કરતો નથી, અકર્તાનયે કરતો નથી કે સ્વભાવથી જ કરતો નથી? આહાહા (શ્રોતા- કેમકે અકર્તા નયે કરતો નથી, તો તો કર્તાનયે કરે છે એમ આવી જશે. કેમ કે નય સાપેક્ષ જ હોય ને! !) સાપેક્ષ જ હોય. (શ્રોતા-અકર્તાનયે કરતો નથી તેમ નથી, પણ સ્વભાવથી જ કરતો નથી, આ તો અંદરની કોઈ ગુપ્ત વાતો છે.)
ન કરવું એ” પર્યાય સ્વભાવ છે. તેમાં નયની કોઈ અપેક્ષા નથી. તત સમયની યોગ્યતાથી થવા યોગ્ય થાય છે. આ એક કૂંચી છે હોં! એમાં ત્યાં નયથી વાત નથી આવી. “પરિણામ થવા યોગ્ય થાય છે અને જાણનારો જણાય છે.” (શ્રોતા-ભાઈ ! બન્ને વાત સ્વભાવથી જ આવી.) બેય સ્વભાવથી જ છે. (“થવા યોગ્ય થાય છે અને જાણનાર જણાય છે; ” એટલે નિશ્ચયથી જાણનાર જણાય છે એમ નહીં, અને વ્યવહારનયે પરિણામને કરે છે એમ પણ નહીં.” “થવા યોગ્ય થાય છે. જાણનાર જણાય છે.”) પર્યાય થવા યોગ્ય થાય છે તે પર્યાયનો સ્વભાવ છે. એનું નામ થવા યોગ્ય થાય છે. તે સત્ અહેતુક સ્વતંત્ર છે. નય લગાડમાં. એને એના સ્વભાવથી જ જો. આહા! આવી ચર્ચા છે.
(ભાઈ, એ લીટી બહુ સારી છે કે પર્યાયને પર્યાયના સ્વભાવથી જોતાં આત્મા વ્યવહારથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com