________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૮૦
પર્યાય સ્વભાવ”
ચર્ચા નં. -૭ રાજકોટ સ્વભાવથી જ પર્યાયમાં ક્રિયા થયા કરે છે. અવિરતપણે થયા કરે છે. એને રોકી ન શકાય. વિકારી કે અવિકારી એમ ન લેવું. સામાન્ય ક્રિયા ઉત્પાદ-વ્યયરૂપ પર્યાય પોતાના સ્વભાવથી જ પરિણમે છે. એમ પર્યાયને પર્યાયના સ્વભાવથી જોતાં, આત્મા વ્યવહારથી પર્યાયને કરે છે એ કર્તાપણાનો ઉપચાર નીકળી જાય છે.
કર્તાપણાનો ઉપચાર તો સાધકને પણ આવે છે. કર્તાનયે રાગને કરે છે. પૂ. ગુરુદેવશ્રીની કેસેટમાં આજે આ વિષય શરૂ થયો. થોડું સાંભળ્યું છે. એટલે આખું (દ્રવ્ય) પ્રમાણમાં પ્રમેય થાય છે. એમાં આખું દ્રવ્ય અનંતગુણાત્મક, એમાં પર્યાય અનંત (તેમાં) વિકાર અવિકાર બધું પ્રમાણ (જ્ઞાન) માં પ્રમેય થાય છે. અને પછી એક એક નયથી એક એક ધર્મને જાણે છે.
આત્મદ્રવ્ય કર્તાનયે રાગને કરે છે. એટલે કર્તબુદ્ધિ નથી. કેમકે સામે અકર્તાનયે સાક્ષી જ છે. કર્તાનયે કરે છે. એમાં કરે છે આવ્યું અને અકર્તાનયે કહ્યું કે સાક્ષી “જ” છે. એમાં “જ” લગાડયો ઓમાં “જ” ન લગાડયો. કર્તાબદ્ધિ નથી ને? એટલે એમાં એટલો ઉપચાર આવે છે.
(કર્તાનય એટલે કર્તાનો ઉપચાર આવે છે. કર્તબુદ્ધિ તો નથી. પણ પરિણમન છે હજી. એ એની નબળાઈ છે પોતાની. તે કર્મના ઉદયથી નથી. પણ પર્યાયની યોગ્યતા હજુ એવી કાચી રહી ગઈ છે. પરિપક્વ થઈ નથી ને? યથાખ્યાત નથી, એટલે ઉપચારથી કર્તા આવે છે પણ કહે છે કેઃ “એ ઉપચારથી કર્તાને ઓળંગી જા.” એ ઉપચારથી જ્યાં સુધી કર્તા છે ત્યાં સુધી સવિકલ્પ (દશા) છે.
૪૭ (સુડતાલીસ) નયમાં એક નયની મુખ્યતાથી વિચાર કરશે સમજી ગયા તો એ સવિકલ્પ છે. તે શ્રુતજ્ઞાનનો વિષય છે. શ્રુતજ્ઞાનમાં (અર્થાત્ ) જે જ્ઞાનમાં આનંદ સાથે આવે છે એવા શ્રુતજ્ઞાનમાં ૪૭ નય જણાય છે. (નિર્વિકલ્પ ધ્યાનમાં જાણે છે?) ના, ના. (શ્રોતા-તો?) આ જે ૪૭ નયની વાત કરે છે તે સવિકલ્પ દશામાં. એક એક નયનું વિવેચન કરે છે. તેમાં ચોખ્ખું કહે છે આ શ્રુતજ્ઞાન પ્રમાણનો વિષય છે. આ અતીન્દ્રિયજ્ઞાનમાં આનંદ આવે છે ઈ.... એને જાણે છે. (તેમાં ) ઇન્દ્રિયજ્ઞાન નથી લેતા.
(શ્રોતા-નહીં; ઈન્દ્રિયજ્ઞાન! અતીન્દ્રિયજ્ઞાન?)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com