________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૭૮ છે, પરિપૂર્ણ છે. દ્રવ્યનો સ્વભાવ જ એવો છે કે તે પરિપૂર્ણ છે બસ. આમ સ્વભાવના આશ્રયથી નયોના વિકલ્પ છૂટી, સીધો અનુભવ થઈ શકે છે. નાતિક્રાંત થવાની આ વિધિ છે.
અગ્નિ ઉષ્ણ છે કઈ નયે? અરે! સ્વભાવથી જ અગ્નિ ઉષ્ણ છે. એને કહેવા માટે કોઈ નયની અપેક્ષા નથી, આમ તમે નયોના વિકલ્પોને ઓળંગી એકદમ સ્વભાવની સન્મુખ થાઓ તો વિકલ્પ છૂટી અનુભવ થાય. (આખી ચર્ચામાં ઈ જ વાત છે. વિકલ્પ છૂટીને અનુભવ કેમ થાય? વિકલ્પ છૂટીને અનુભવ કેમ થાય ?) બસ. વિકલ્પ સુધી આવી ગયો છે જીવ, યથાર્થ વિકલ્પ સુધી આવી ગયો છે. (હા. હા. પણ વિકલ્પ છૂટીને અનુભવ કેમ થાય !) એના માટે છે આ ચર્ચા બસ, નજાતિક્રાંત થવાની આજ વિધિ છે.
ગઈ કાલે દ્રવ્યસ્વભાવને પ્રસિદ્ધ કરનારી નિશ્ચયનયના વિકલ્પોને, દ્રવ્ય સ્વભાવની મુખ્યતાથી ઓળંગી જવાની વાત કરી હતી. આજે બીજું પડખું વ્યવહારનયનું છે. પર્યાયો સ્વભાવથી જ ક્રિયાવંત છે. ક્રિયાના કારક સ્વભાવથી જ પર્યાયમાં છે. ત્યાં હવે તમે કહો કે આત્મા વ્યવહારનયે પર્યાયને કરે છે તો એ વાત બરાબર નથી. આત્માને શા માટે જોડો છો એમાં તો એકતા થાય છે એમાં ભિન્નતા ન થાય, વ્યવહારના નામે પણ એકતા થાય. પર્યાય, સ્વભાવથી જ એના કારકથી પરિણમે છે. એનો વ્યવહારથી આત્મા કર્તા છે, એવો જે ઉપચાર આવતો હતો એને ઓળંગી પર્યાયને પર્યાયના સ્વભાવથી જુઓ.
ગઈકાલે ઓમાં હતું ને! દ્રવ્ય સ્વભાવને પ્રસિદ્ધ કરનારી નિશ્ચયનયના વિકલ્પોને, દ્રવ્યસ્વભાવની મુખ્યતાથી ઓળંગી થવાની વાત કરી હતી. હવે અહીંયા એને જે ઉપચાર આવતો હતો એને ઓળંગી, પર્યાયને પર્યાયના સ્વભાવથી જુઓ, બસ તો એ પ્રકારનો વિકલ્પ જાય ઓલો નિશ્ચયનયનો વિકલ્પ જાય, આ વ્યવહારનયનો વિકલ્પ જાય.
(કોઈને પણ ખૂણે ખાંચરે, જરીક પણ, પર્યાયનું કર્તાપણું જરી જેટલું પણ ભાસતું હોય તો ઈ બધું સાફ થઈ જાય છે. આ એસીડ છે. એસીડ!) એસીડ. એકદમ સાફ. ચીકાશ બધી નીકળી જાય. મિથ્યાત્વની ચીકાસ એસીડથી જ જાય. સાબુ ને પાણીથી ન જાય. ઊલટું પાણી લગાવો તો ચીકાશ વધી પણ જાય. નયોનાં વિકલ્પથી એમ... ! !
પર્યાયને નયથી ન જુઓ. અરે ! પર્યાયનો કર્તા પર્યાય નિશ્ચયનયે છે એમ પણ ન જુઓ. કેમ એમાં શું દોષ આવે છે? અરે! એનો પ્રતિપક્ષ ઊભો થાય છે. આત્મા વ્યવહારનયે પર્યાયને કરે છે એ મોટો દોષ આવી પડે છે. આ ખૂબ ભયંકર દોષ છે કર્તા જ રહ્યો, વ્યવહારનયના નામે પણ કર્તામાં જ ઊભો રહ્યો. વ્યવહારનયે કરે છે એ તો ભયંકર દોષ છે પણ વ્યવહારનયે એને જાણે છે, એમ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com