SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૭૭ આવે. (આ પુસ્તક જે વાંચશે ને એ નયોને વળગશે જ નહીં.) કોઈ દિવસ નયો ઉપર નહીં જાય. નયોથી ઉદાસીન થઈ જશે. (સ્વભાવથી વિચારો. દ્રવ્યસ્વભાવમાં બેઠો બેઠો પર્યાય સ્વભાવને જાણી લ્ય છે.) દ્રવ્ય સ્વભાવને નિશ્ચયનયે નક્કી કરવા ગયો તો સ્વભાવ દૂર રહી ગયો. દ્રવ્યસ્વભાવ ને સ્વભાવથી જ જ્યાં નક્કી કર્યો તો નિશ્ચયનય દૂર થઈ ગઈ. આત્માને વ્યવહારથી કર્તા કહ્યો તો પર્યાય સ્વભાવ ખ્યાલમાં ન આવ્યો. જો દ્રવ્ય સ્વભાવને નિશ્ચયનયે નક્કી કરવા ગયો તો સ્વભાવ દૂર થયો. આમાં કહે છે કે આત્માને વ્યવહારથી કર્તા કહ્યો તો પર્યાય સ્વભાવ ખ્યાલમાં ન આવ્યો. આહા ! અમૃત છે હોં! ! ને પર્યાય સ્વભાવ ખ્યાલમાં આવ્યો તો ઉપચાર ઓળંગી ગયો. વ્યવહાર ઓળંગી ગયો. વ્યવહાર કર્તા કહ્યો હતો ને? કર્તાપણું તો ઉપચારથી જ છે ને? કર્તાપણું કહેવું એ ઉપચારથી જ છે? એને કર્તાપણાની અપેક્ષા ક્યાં છે? એ પોતે કર્તા થાય છે ને આત્મા કરે છે એ ઉપચાર ખોટો છે. વ્યવહારથી કર્તા છે એમ જ્યાં ગયું, ત્યાં સાક્ષાત્ જ્ઞાતા થઈ ગયો. આ આત્મા સ્વભાવથી જ અકારક-અવેદક છે. એને સમજાવવા માટે નયથી સમજાવે છે, પણ નથી સમજતાં વિકલ્પની ઉત્પત્તિ થાય છે. આત્મા સુધી ઉપયોગ પહોંચી શકતો નથી, જ્ઞાન લંબાઈને આત્માથી અભેદ થઈને અનુભવ થવો જોઈએ પરંતુ નયના વિકલ્પો અનુભવમાં બાધક થાય છે. જીવ પક્ષાતિક્રાંત થઈ શકતો નથી, વ્યવહારનય તો અન્યથા કથન કરે છે. પણ નિશ્ચયનય તો સાચું કથન કરે છે. જેવો આત્મા છે એવું કથન કરે છે. માટે એ નય દ્વારા નિર્ણય થાય પણ સ્વભાવથી દૂર રહીને સ્વભાવ બતાવે છે. એ નય, સ્વભાવથી તન્મય નથી થતી. નય વિકલ્પાત્મક છે. માત્ર અંગુલી નિર્દેશ કરે પણ ત્યાં સુધી પહોંચવા છતાં પણ અનુભવ ન થાય. નિશ્ચયનયથી વિચારવા મંડ્યો ત્યાં સુધી પણ અનુભવ થતો નથી. એમાં વિકલ્પ આડો આવે છે. અનુભવમાં આડો આવે. તો પછી એ નયના વિકલ્પ કેમ છૂટે? એવો પ્રશ્ન થાય. ઉત્તર- નયનું અવલંબન લઈને જે નિર્ણય થયો હતો એ નયને છોડીને તમે સ્વભાવ તરફ ચાલ્યા જાઓ. કેવી રીતે ચાલ્યા જાઓ સ્વભાવ તરફ એની રીત. આત્મા નિશ્ચયનયથી અકર્તા નથી. સ્વભાવથી જ અકર્તા છે. બસ. ત્યાં નિશ્ચયનયનો વિકલ્પ છૂટી જશે. સ્વભાવમાં જાઈશ એટલે વિકલ્પ રહેશે નહીં. સ્વભાવથી જ અકારક ને અવેદક છે. આત્મા નિશ્ચયનયથી શુદ્ધ નથી, સ્વભાવથી જ શુદ્ધ છે. અનાદિ અનંત સ્વભાવથી જ મુક્ત Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008236
Book TitleDravya Svabhaav Paryaya Svabhaav
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1999
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy