SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૭૬ આ તમે કહ્યું એટલે છપાવ્યું! બાકી તો રહી જાત. (શ્રોતા-સારું થયું ને? છપાઈ ગયું તો ફરી ફરીને વંચાશે.) વંચાય અને એની એડીશન થયા કરે. અને પરંપરા ચાલે. આ બધા જે પૂર્વના સાધકો થઈ ગયા છે એના પુસ્તકો રહી ગયા. ઈ છપાણી એટલે રહી ગયાં છે. દોલતરામજી છે દીપચંદજી છે, એવા ઘણા ઘણા થઈ ગયા છે ને? જ્ઞાની સાધકો ગૃહસ્થી થઈ ગયા છે. પર્યાયને સ્વભાવથી જુઓ તો વ્યવહારનયે આત્મા કર્તા છે એ ઉપચાર નીકળી જશે. ઉપચારને ઓળંગે તો અનુભવ થાય. (૧) આત્મા સ્વભાવથી જ અકર્તા છે” અહીં નિશ્ચયનયે આત્મા અકર્તા છે. એનો નિષેધ થયો. એ વિકલ્પનો નિષેધ થઈ ગયો. (૨) “પર્યાય સ્વભાવથી જ કર્તા છે.” -અહીં વ્યવહારનયે આત્મા કર્તા છે એનો નિષેધ છે. બન્નેને પોતાના સ્વભાવથી જુઓ તો નિશ્ચયનયના વિકલ્પની જરૂર નથી કાંઈ. સ્વભાવની જ છે અકર્તા! ને પર્યાય કર્તા સ્વભાવથી જ છે તો વ્યવહારનયથી કર્તા છે એ ઉપચારથી જરૂર નથી. બન્ને નય ઓળંગી ગયો જુઓ. (શ્રોતા- બન્ને નય ઓળંગી ગયો. નયના વિકલ્પો છૂટી ગયા. “દ્રવ્યને પર્યાયને નહીં આલિંગિત.” (હા-નહીં આલિંગિત કરાયેલા) એવા ચૈતન્ય સ્વભાવને જો, તું. સાક્ષાત્ જ્ઞાતા થઈ ગયો, આહા... બસ, સ્વભાવમાં આવી ગયો. દ્રવ્ય સ્વભાવમાં બેઠો બેઠો પર્યાય સ્વભાવને જાણી લે છે. દ્રવ્યમેં બૈઠ ગયા. (દ્રવ્યમેં બૈઠ ગયા કિ આલસી હો ગયા.) આલસી હો ગયા, બહાર નીકળતા હી નહીં. (દ્રવ્યસ્વભાવમાં બેઠો બેઠો પર્યાયસ્વભાવને જો.) બસ. સ્વાંગને જાણે છે. (શ્રોતાઆનો તો રસ પીવા જેવો છે. આ એક હકીકત જ છે.) એ..... જ્ઞાનમાંથી આવ્યું છે બધું. આ મધ્યસ્થ થઈને લખેલી વાત છે. જે, નયોમાં પણ નથી આવ્યો અને આ વાત શું કરવી? ( શ્રોતા-અનુભવ ગમ્ય છે.) કોઈ વાંધાએ કાઢે ! એની ચાંચ ડૂબે? કે આ શું છે? આમાં અજ્ઞાની એવો આક્ષેપ કરી શકે કે થોડો ઘણો વ્યવહાર હતો, નિશ્ચયનયથી (આત્માને) સમજવાનો એ પણ ભાઈએ ઉડાડી દીધો. (પરમ ઉપકાર કર્યો પ્રભુ! વ્યવહારને તો ઉડાડવો જ જોઈએ ને? સ્વભાવની પ્રાપ્તિ કરવાનો હેતુ છે. આપણે એનો હેતુ બતાવી દીધો છે. (બતાવી દીધો છે. બધા જીવો નયાતીત થાઓ અને પરમાનંદને પામો બસ.) બસ. (નયથી ) વિચારોમાં. એને નુકશાન દેખાય એમાં, તો પછી નય ઉપર નહીં વળગે.) હા. નુકશાન દેખાવું જોઈએ. (નુકશાન બતાવ્યું છે, પક્ષાતિક્રાંત નહીં થાય, સ્વભાવ હાથમાં નહીં આવે.) ન જ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008236
Book TitleDravya Svabhaav Paryaya Svabhaav
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1999
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy