________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૭૪ પર્યાય પર્યાયથી થાય છે એમ હું જાણું, પણ પર્યાય મારાથી થાય એમ હું ન જાણું, કેમકે પર્યાય સ્વભાવથી જ પરિણમી રહી છે. કારણકે પર્યાય સત્ છે. પર્યાયને વ્યવહારે જાણું પણ પર્યાયને વ્યવહારે કરું નહીં. કરવાની વાત જ નથી. જાણવાની વાત છે, અને વ્યવહારે જાણે પર્યાયને એટલે કે એના ઉપર લક્ષ નથી એટલે વ્યવહાર. (પર્યાયને વ્યવહારે જાણું પણ પર્યાયને વ્યવહાર કરું નહીં.) કરું નહીં એ નિષેધ કરવા માટે, જાણું! એમ કહ્યું.
-સ્વભાવથી સમજતાં વિકલ્પ છૂટી જાય છે. -નયથી સમજતાં વિકલ્પ રહી જાય છે.
આહા! સ્વભાવમાં અપેક્ષા લગાડશો તો વિકલ્પ ઊઠશે, સ્વભાવ હાથમાં નહીં આવે. પર્યાય સ્વભાવથી જ ક્રિયાવંત છે, તો આત્મા ઉપચારથી પર્યાયને કરે છે એ ક્યાં આવ્યું? આ મૂળ વાત છે હોં? પર્યાયના ક્રિયાના કારકો સ્વભાવથી જ થયા કરે છે, પછી એને કઈ નયે આત્મા કરે છે એ ક્યાં આવ્યું? લાગુ જ ન પડે ને? આહા! જો આ ઉપચારનો નિષેધ આવ્યો ! !
પર્યાય સ્વભાવથી જ ક્રિયાવંત છે. તો આત્મા ઉપચારથી પર્યાયને કરે છે એ ક્યાં આવ્યું? એટલે કર્તા નથી. કારયિતા નથી, અનુમોદક નથી, ઈ. આ આવ્યું. (બરાબર. તો દષ્ટિ સીધી અકર્તા સ્વભાવ ઉપર ગઈ તો કર્તા ધર્મનો પણ જ્ઞાતા થઈ ગયો. (આહા! ભાઈ ! કેટલી વ્યવસ્થિત વાત છે આમાં! ખરેખર. દષ્ટિ સીધી અકર્તા સ્વભાવ ઉપર ગઈ તો કર્તાધર્મનો પણ જ્ઞાતા થઈ ગયો.) અકર્તા ઉપર દષ્ટિ જાય ત્યારે પર્યાયનો જ્ઞાતા થાય. (એટલામાં તો બધું આવી ગયું.) બધું આવી ગયું. આ અઢી લીટી બહુ સરસ છે.
પર્યાયસ્વભાવ જ ક્રિયાવંત છે તો આત્મા ઉપચારથી પર્યાયને કરે એ ક્યાં આવ્યું? તો દષ્ટિ સીધી અકર્તા સ્વભાવ ઉપર ગઈ તો કર્તા ધર્મનો પણ જ્ઞાતા થઈ ગયો. (શ્રોતા-બહુ સરસ.)
-ક્રિયા ન કરવી એ દ્રવ્યનો સ્વભાવ. -ક્રિયા કરવી એ પર્યાયનો સ્વભાવ. -બન્નેને જાણવું એ જ્ઞાનનો (જ્ઞાતાનો સ્વભાવ.)
( શ્રોતા-સુત્ર છે હીરા છે. આહાહા! બહુ સરસ.) ક્રિયા ન કરવી એ દ્રવ્યનો સ્વભાવ ક્રિયા કરવી એ પર્યાયનો સ્વભાવ, બન્નેને જાણવું એ જ્ઞાનનો એટલે જ્ઞાતાનો સ્વભાવ.
પર્યાયને સ્વભાવથી જ જુઓ તો વ્યવહારનયે આત્મા કર્તા છે એ ઉપચાર નીકળી જશે. ઉપચારને ઓળંગે તો અનુભવ થાય. આવી લેઈ વાત આવી ગઈ છે હું? લેઈ પળ હતી હું!
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com