SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૭૩ પ્રશ્ન- આત્મા રાગને કયા નયે કરે છે? ઉત્તર- અરે! એમ નથી. એ તો એ સમયની પર્યાયની પોતાની યોગ્યતા છે. (સ્વભાવ) છે. એ પર્યાયનો વિભાવ સ્વભાવ છે. તો જે રાગ થયો તે પર્યાય સ્વભાવથી થયો છે. આત્મા કરે છે એમ નથી. આત્મા રાગને કઈ નયે કરે છે? કોઈ નયથી આત્મા એને કરતો જ નથી. કોઈ નય લાગુ ન પડે આત્માને. કેમકે એને નયની જરૂર જ નથી. એના સ્વભાવથી કાર્ય થાય છે. નિશ્ચયનયે ન કરે, અને વ્યવહારનયે ન કરે; થાય એને જાણે બસ. (આ પર્યાયની યોગ્યતા એવી હતી એટલે થયું. પર્યાય સ્વભાવને જ્ઞાન જાણે છે. ) જાણે છે બસ. આમાં તો કેટલી વીતરાગતા થઈ ગઈ. (એકલી વીતરાગતા. એકલું જ્ઞાતાપણું રહી ગયું જ્ઞાતા, જાણનાર રહી ગયો. બસ. (થવા યોગ્ય થાય છે.) બસ. “થવા યોગ્ય થાય છે. જાણનાર જણાય છે.” બે જ વાત છે. એની ક્રિયાનો નિષેધ ક્યાં છે? અરે ! એ તો એ સમયની પર્યાયની પોતાની યોગ્યતા એ તો સ્વભાવ છે. પર્યાયનો વિભાવ સ્વભાવ છે. ઈ... તો રાગ થયો એ, પર્યાય સ્વભાવથી થયો છે. અરે! ત્યાં તો નયના વિકલ્પથી જ્ઞાન છૂટી ગયું! એકલો “જ્ઞાતા” થઈ ગયો. હમણાં તમે કહ્યું ને ઈ જ આવ્યું. (બરાબર એકલો જ્ઞાતા થઈ ગયો.) નયના વિકલ્પ છૂટી જાય તો જ્ઞાતા જ થાય ને? (જ્ઞાતા જ બરાબર.) નયના વિકલ્પ છે ત્યાં સુધી સાક્ષાત્ જ્ઞાતા થતો જ નથી. અનુભવકાળમાં કોઈ નય હોતી જ નથી. નિશ્ચયનય પણ નથી અને વ્યવહારનય પણ નથી. “ જેઉ જહાં સાધક હું તેઉ તહાં બાધક હૈ.” નય બાધક જ છે બેન! કાંઈ છે નહીં. ત્યાં તો નયનું જ્ઞાન છૂટી ગયું એકલો જ્ઞાતા થઈ ગયો. નયના વિકલ્પથી છૂટી એકલું જ્ઞાન રહી ગયું. ઉપાધિ નીકળી ગઈ. સ્વભાવને જાણવામાં નયની જરૂરત નથી, પરંતુ નયાતીત જ્ઞાનની જરૂરત છે. સ્વભાવને જાણવામાં નયની જરૂરત જ નથી પરંતુ નયાતીત જ્ઞાનની જરૂરત છે. સોગાનીજીએ કહ્યું છે ને બન્ને સ્વભાવને જાણતાં જાણતાં મોક્ષ થાય. અકર્તા કર્તાને જાણતાં-જાણતાં મોક્ષ થાય. બન્નેના સ્વભાવને જાણે છે. એટલે પ્રમાણશાન થઈ ગયું ને! દ્રવ્યને દ્રવ્યરૂપ પર્યાયને પર્યાયરૂપ જાણતું જ જ્ઞાન પ્રગટ થાય છે. (એ જ અંદરનું સ્વપર પ્રકાશકને?) એ જ અંદરનું સ્વપર પ્રકાશક છે. એક નિશ્ચયનયથી નિરપેક્ષ દ્રવ્યનો સ્વભાવ, બીજો વ્યવહારનયથી નિરપેક્ષ પર્યાયનો સ્વભાવ. બન્ને નયોના વિકલ્પોને ઓળંગી ગયો તો સાક્ષાત્ જ્ઞાતા થઈ ગયો. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008236
Book TitleDravya Svabhaav Paryaya Svabhaav
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1999
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy