________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૬૬ રહી જશે અને અનુભવ થઈ જશે. આહા! સ્વભાવથી, સ્વભાવ વિચારો (અને) નયના માધ્યમને-વિકલ્પને રહેવા દો.
હું સ્વભાવથી જ શુદ્ધ છું” એમાં વ્યવહારનયે અશુદ્ધ છું, એ દોષ છૂટી જાય છે. અને “નિશ્ચયનયે શુદ્ધ એ વિકલ્પ છૂટી જાય છે.” નય છે એ વિકલ્પ છે. જેમ રાગથી અનુભવ ન થાય, એમ નથી પણ અનુભવ ન થાય. નયનો વિકલ્પ છે ત્યાં સુધી અનુભવ ન થાય. કારણકે આડકતરી રીતે રાગની સાથે કર્તાકર્મની પ્રવૃત્તિ ચાલુ જ રહે છે.
નિશ્ચયનયે આમ છે એમ લે ને! પછી.... નિશ્ચયનય છોડી દેવી. સ્વભાવથી આમ છે એમ લે ને! આત્મા નિશ્ચયે અકર્તા છે એ પહેલાં લે! પહેલાં લે, નિશ્ચયે અકર્તા છે લે! વાંધો નહીં. થોડીકવાર... પછી “સ્વભાવ” નયથી સ્વભાવ સિદ્ધ નહીં થાય! નયથી અનુમાન થાય! પણ નયથી સ્વભાવ સિદ્ધ નહીં થાય! સ્વભાવ તો સ્વભાવથી સિદ્ધ છે ને સ્વભાવની સન્મુખ થાય તો સિદ્ધ થાય!
(જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન પેજ નં. ૨૮૧) આત્માર્થીને સ્વભાવની જિજ્ઞાસા અને ઝંખના એવી ઉગ્ર હોય કે “સ્વભાવ” સાંભળતાં તો હૃદયમાં સોંસરવટ ઉતરી જાય, અરે ! સ્વભાવ કહીને જ્ઞાની શું બતાવવા માગે છે! એનું જ મારે ગ્રહણ કરવું છે, આમ રૂવાટે રૂંવાટે સ્વભાવ પ્રત્યેનો ઉત્સાહ જાગેને વીર્યનો વેગ સ્વભાવ તરફ વળી જાય, સ્વભાવ પ્રાપ્ત કર્યે જ છૂટકો. ત્યાં સુધી એને ચેન ન પડે.
(આત્મધર્મ અંક ૧૫૫ મુખ પૃષ્ઠ)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com