________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૬૫ કહેવાય. એટલે બધી વાતોની ગુરુદેવ ઘણી ચોખવટ કરી ગયા છે. કોઈ જાતનો સવાલ જ નથી. સમજવું તો પોતાથી છે, બસ.
(શ્રોતા-માંડ માંડ નયમાં આવ્યો તો પ્રમાણની વાત કરી. પ્રમાણમાં આવે તો નયથી વાત કરી. એને એમ થાય કે હું શું સમજું આમાં? મૂંઝાઈ જાય.) મૂંઝાઈ જાય, મૂંઝાઈ જાય. પણ એનો કાળ પાકે તો સમજી જાય.
નિશ્ચયનયથી એક જ ધર્મ ખ્યાલમાં આવે છે, અને સ્વભાવની સમીપે જઈને જુએ છે તો આખો સ્વભાવ ખ્યાલમાં આવે છે. પરિપૂર્ણ સ્વભાવની પ્રાપ્તિ સ્વભાવદષ્ટિમાં થાય છે. નયદષ્ટિથી માત્ર એક જ ધર્મની સિદ્ધિ થાય છે. તેથી બીજા ધર્મોને જાણવાની આકુળતા ઉત્પન્ન થાય છે. નયમાં વિકલ્પની ઉત્પત્તિ થાય છે. એનું કારણ જ એ છે કે નયનો ધર્મ એક એક ધર્મને જાણવાનો છે. જ્યારે સ્વભાવની સમીપ જઈને જુએ છે તો આખો સ્વભાવ જણાય છે. અને કંઈ પણ જાણવું બાકી નહીં રહેતું હોવાથી નયપક્ષના વિકલ્પ ઉત્પન્ન જ થતા નથી. વિષયનો પ્રતિબંધ છૂટી જાય છે. અને અનુભવ થઈ જાય છે, પૂરું સ્વરૂપ પહેરાવી દીધું (શ્રોતા- પૂરું સ્વરૂપ) પૂરું સ્વરૂપ આવી ગયું, આવી ગયું. આહા! (શ્રોતા-એક એક વાક્ય અનુભવનું છે.) આ બધું ગૂઢ છે. આ તો અનુભવી જ સમજી શકે એવી વાત છે. અને કાં અનુભવની સમીપે હોય, સંસ્કારી હોય તો તે જ સમજી શકે. વિષયનો પ્રતિબંધ છૂટી જાય છે અનુભવ થાય છે ત્યારે ધ્યેય પૂર્વક આખો સામાન્ય-વિશેષાત્મક આત્મા જ્ઞાનનું શેય થાય છે. માટે સ્વભાવની દૃષ્ટિ થતાં જ પક્ષાતિક્રાંત થવાય છે. પરંતુ નિશ્ચયનયથી પક્ષાતિક્રાંત થવાતું નથી.
(શ્રોતા- કેટલી નિર્દોષ વાત છે જૈનધર્મની હું? પરિશુદ્ધ?) પરિશુદ્ધ,
આ તો નયપ્રધાન કથન આવ્યું ને આખું? જે આત્મા સ્વભાવથી જ શુદ્ધ છે એને કોઈ નય દ્વારા શુદ્ધ કહેવો એ બરાબર નથી. આત્મા નિશ્ચયનયથી શુદ્ધ છે એ કથન સાચું છે પણ એમાં અનુભવ નથી પરંતુ એ કથન દ્વારા સ્વભાવનું માત્ર અનુમાન જ થઈ શકે છે. આત્મા નિશ્ચયનયે શુદ્ધ છે એમ નહીં, પણ સ્વભાવથી જ શુદ્ધ છે. સીધા સ્વભાવને જ જુઓ તો જે નયના માધ્યમ દ્વારા વિકલ્પ આવતા હતા એ વિકલ્પ છૂટી જશે. સ્વભાવથી વિચારતાં વચ્ચે જે નય આવતી હતી એ નીકળી જશે. એકલું જ્ઞાન રહી જશે. અને અનુભવ થઈ જશે.
(શ્રોતા – બહુ સરસ આહા!) સ્વભાવથી વિચારતાં વચ્ચે જે નય આવતી હતી એ નીકળી જશે. એકલું, એકલું જ્ઞાન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com