SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૬ર તું જો અને પછી એની લાઈનમાં જ સીધું ઉપર જો તો તને ચાંદ દેખાશે. હવે પેલો તો ડાળીને જ વળગી પડ્યો. (અને કહે છે, મને ચાંદ દેખાતો નથી. અરે ! તને મેં ડાળી દ્વારા, ડાળીને છોડીને, ચાંદને જોવાનું કહ્યું હતું. તું તો ડાળીને જ વળગી પડયો. કે “હું નિશ્ચયનયે અકર્તા છું” “હું નિશ્ચયનયે જ્ઞાતા છું” “નિશ્ચયનયે જ્ઞાન આત્માને જાણે છે.” નય તો ડાળી છે. જે અહીં તહીં જોતો હતો અને દિશા સૂચન કરવા ડાળી દ્વારા ચાંદને જોવાનું કહ્યું. વ્યવહારનય દ્વારા તો અનુમાન થતું જ નથી. (શ્રોતા-વ્યવહારનયકે દ્વારા તો અનુમાન ભી નહીં હોતા હૈ) ઈ.... સમયસારમાં કહ્યું કે વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે. ઓલા દેવસેન આચાર્ય કહે છે કે નિશ્ચય પરમાર્થનો પ્રતિપાદક છે ઈ. (બરાબર) વ્યવહારનય દ્વારા તો થતું જ નથી. એની તો દિશા જ વિપરીત છે. તેથી પ્રથમ નિશ્ચયનય દ્વારા સ્વભાવનું અનુમાન કરાવે છે. કે તું નિશ્ચયનયે અકર્તા જ છો. પછી નિશ્ચયનયને છોડી દે. હું તો સ્વભાવથી જ અકર્તા છું' - તો અકર્તાનો વિકલ્પ છૂટી જાય છે. અને અનુભવ થાય છે. સ્વભાવમાં આવ્યો એટલે નિશ્ચયનયનો વિકલ્પ છૂટી જાય છે. હું તો સ્વભાવથી જ અકર્તા છું તો અકર્તાનો વિકલ્પ છૂટી જાય છે. અને અનુભવ થાય છે. (વાહ! બહુ સરસ.) ટંકોત્કીર્ણ વાત આવી છે. જેવું સ્વરૂપ છે એવું વાણીમાં આવ્યું છે. આ એક પળ હુતી પળ બસ. દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ પેજ . -૧૪ નિશ્ચયનયે શુદ્ધ કહેતાં, કોઈ નયે અશુદ્ધ છે એમ આવી જશે. અને નિશ્ચયનયે નિત્ય કહેતા, કોઈ નયે અનિત્ય છે એમ આવી જશે. કેમકે નય સાપેક્ષ હોય છે. અને સ્વભાવ તો નિરપેક્ષ છે. (શ્રોતા- નય સાપેક્ષ છે અને સ્વભાવ નિરપેક્ષ છે.) નિરપેક્ષ છે; નયાતીત છે. નય સ્વભાવથી જ સાપેક્ષ હોય છે અને સ્વભાવ, સ્વભાવથી જ અત્યંત નિરપેક્ષ હોય છે. (શ્રોતા- નયાતીત હૈ ના?) નયાતીત. વ્યવહારનય નિશ્ચયનયના દ્વારા નિષેધ્ય છે, અને નિશ્ચયનય સ્વભાવના દ્વારા નિષેધ્ય છે. આબેહૂબ વાત છે. આબેહૂબ કડી બદ્ધ છે. જેવું સ્વરૂપ છે તેવું અને પૂરી વાત આવી ગઈ છે હોં ! ! ! નય છે એ નિર્ણય કરવા માટે છે. અપૂર્વ નિર્ણય આવે છે. પરોક્ષ અનુભૂતિ થાય છે, પણ એમાં આનંદ નથી. જ્ઞાન છે એ અનુભવ માટે છે. પ્રત્યક્ષ અનુભૂતિ થાય છે. એમાં આનંદ આવે છે. હમણાં ચર્ચા થઈ તી તે આવી. (શ્રોતા- અક્ષરે અક્ષર પરમ સત્ય છે.) વ્યવહરદષ્ટિ તે મિથ્યાદષ્ટિ અને નિશ્ચયદષ્ટિ તે સમ્યગ્દષ્ટિ એમ આવે છે. (પણ) નિરપેક્ષ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008236
Book TitleDravya Svabhaav Paryaya Svabhaav
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1999
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy