SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-પદ શુદ્ધજ્ઞાન નથી એટલે શુદ્ધ જ્ઞેય પણ નથી નય એ તો અશુદ્ધતા છે. સ્વભાવથીજ જાણનારો જાણવામાં આવી રહ્યો છે. તો સ્વભાવ જ લક્ષમાં આવે છે. અને જ્યારે સ્વભાવ લક્ષમાં આવે છે ત્યારે નયના વિકલ્પ છૂટી જાય છે, અને સ્વભાવ સ્વભાવપણે અભેદ અનુભવમાં આવે છે. 6 સમય ' ની વ્યાખ્યા કરી કે જાણવું અને ( આત્માને ) જાણવારૂપે પરિણમવું.... સ્વભાવથી જ છે. અનાદિ અનંત, કોઈ નય લાગુ ન પડે. ઘણાં વરસ પહેલાંની જે વાત આવેલી એ અંદરની જ આવેલી. નહીંતર એ વખતે હું તો સાવ નવો સોનગઢ આવતો જતો. પછી શાક લેવા બજારમાં ગયો અને પંડિતજી પણ શાક લેવા આવ્યા હતા. અને ચાલતાં ચાલતાં આ વાત નીકળી. કે સમયની વ્યાખ્યામાં જાણે છે ને જાણવા રૂપે પરિણમે છે એમ એ પંડિતે કહ્યું, પછી મેં કહ્યું જાણે છે અને “ આત્માને જાણવારૂપે પરિણમે છે,” પંડિતજી એમ છે. સ્વભાવથી જાણ્યા કરે છે. ફંકશન ચાલુ છે બાળ-ગોપાળ સૌને, પણ ત્યારે આ ખ્યાલમાં નહોતું શરૂઆતની વાત છે. જાણે છે પણ આત્માને જાણવા રૂપે પરિણમે છે પણ કાંઈ પણ બોલ્યા નહીં હોં ! મૌન થઈ ગયા. જાણવું અને આત્માને જાણવારૂપે પરિણમવું તે સ્વભાવથી જ છે, અનાદિ અનંત. કોઈ નય લાગુ ન પડે. જો નય લગાડીશ તો સ્વભાવથી દૂર થઈ જઈશ અને જો સ્વભાવથી જોઈશ તો નય દૂર થઈ જશે. અહાહા ! કેવું મીઠું-મધુરું વાક્ય છે! જો નય લગાડીશ તો સ્વભાવથી દૂર થઈ જઈશ અને જો સ્વભાવથી જોઈશ તો નય દૂર થઈ જશે. આ નયથી દૂર થવાની વાત ચાલી રહી છે. નયથી તને સમજવાની ટેવ પડી ગઈ છે. તેથી વિકલ્પ ઉત્પન્ન થયા વગર રહેતો નથી. હું નિશ્ચયનયે અકર્તા છું” તો વ્યવહારનયે કર્તા છું એમ આવી જ જાય, ખબર ન પડે. તેથી હું નિશ્ચયનયે અકર્તા નથી. સ્વભાવથી જ અકર્તા છું. હું વ્યવહારનયે અકર્તા નથી જ, પણ નિશ્ચયનયે પણ અકર્તા નથી. હું તો સ્વભાવથી જ અકર્તા છું. ‘નિશ્ચયનયે ’ જ્ઞાન આત્માને જાણે છે? નિશ્ચયનયે જ્ઞાન આત્માને જાણતું જ નથી. અરે ! આ શું કહો છો ? હા સ્વભાવથી જ જ્ઞાન આત્માને જાણતું પરિણમી રહ્યું છે. હિંમતનગ૨માં ફરમાવ્યું હતું, દ્રવ્યસ્વભાવ અનાદિ અનંત જ્ઞાનમાં જણાયા કરે છે અને જ્ઞાન અનાદિ અનંત આત્માને જાણ્યા જ કરે છે. જણાયા જ કરે છે અને જાણ્યા જ કરે છે. અહાહા! આ ફંકશન છે ને. આ ફંકશન (ક્રિયા) અનાદિ અનંત ચાલુ જ છે. આ વસ્તુ સ્થિતિનો સ્વીકાર કરી લે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008236
Book TitleDravya Svabhaav Paryaya Svabhaav
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1999
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy