________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૫૧
ચર્ચા નં-૪ રાજકોટ જેમ કે સૂર્ય પ્રકાશનો પૂંજ છે કઈ નયથી? અરે ! સ્વભાવથી જ સૂર્ય પ્રકાશનો પૂંજ છે. વળી પ્રકાશ સૂર્યને પ્રસિદ્ધ કરે છે કઈ નથી? અરે ! સ્વભાવથી જ પ્રકાશ સૂર્યને પ્રસિદ્ધ કરે છે. હવે જે સ્વભાવથી જ છે ત્યાં નય લાગુ પડતી નથી. નયો તો માત્ર શિષ્યને સમજાવવા માટે છે. બહુ નયોના પ્રયોગમાં જવા જેવું નથી. વિકલ્પની જાળ ઊઠે છે. આકુળતા, એમાં શાંતિ નથી.
જો જ્ઞાન નયના પ્રયોગમાં અટકશે તો બીજી પ્રતિપક્ષી નય જ્ઞાનમાં ઉભી થશે. આત્મા “નિશ્ચયનયે ” અકર્તા છે એમાં વિકલ્પ ઊભો થયો. જ્ઞાનની પર્યાય “નિશ્ચયનયે” આત્માને જાણે છે એમાં પણ વિકલ્પ ઊભો થયો. નિશ્ચયનયે આત્મા અકર્તા નથી... નિશ્ચયનયે જ્ઞાન આત્માને જાણતું નથી. અરે ! આ શું વાત કરો છો? હા, સંભાળ કો “કને તો એમ લાગે આ શું લખ્યું છે?
નિશ્ચયનયે આત્મા અકારક, અવેદક નથી; સ્વભાવથી જ અકારક, અવેદક છે. બે જ વાત ચાલી આવે છે. આમાં કર્તબુદ્ધિ છૂટે છે ને જ્ઞાતાબુદ્ધિ છૂટે. દ્રવ્ય સ્વભાવ ને પર્યાય સ્વભાવમાં બેયની સિદ્ધિ થઈ જાય છે. (અનુભવના વિષય ભી આ જાતા હૈ ઔર અનુભવ કૈસે હો !) હો જાતા હૈ, બસ. આપણામાં આવે છે કે પરિણામની; કર્તા બુદ્ધિ અને જ્ઞાતાબુદ્ધિ પરિણામની બે દોષ છે. ઈ... જ વાત ચાલી આવે છે.
સ્વભાવથી જ અકારક છે. સ્વભાવથી જ અકારક-અવેદક છે. નિશ્ચયનયે જ્ઞાન જ્ઞાયકને જાણતું નથી. સ્વભાવથી જ જ્ઞાન શાયકને જાણે છે. દેડકાએ નિશ્ચયનય તો લગાડયો નથી તો એના જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે કે નહીં ? (શ્રોતા-જણાય છે.) હું ? દેડકાને, હરણીયાને એને કાંઈ નિશ્ચયનય કે વ્યવહારનય છે? (નહીં) નિગોદના જીવને લ્યોને ? બાળ-ગોપાળ સહુને કહ્યું ને ? જણાય છે, અનુભવમાં આવે છે.
(શ્રોતા-હા ઉસકો જાનને મેં આ રહા હૈ.) એમાં નયની કાંઈ જરૂર નથી. (સ્વભાવમાં નયની જરૂર નથી.) જરૂર નથી.
જ્ઞાનની પર્યાયનો સ્વભાવ છે-શાયકને જાણવાનો. (બરાબર) જ્ઞાયકને જાણે ને પરને ન જાણે એમ. અસ્તિ નાસ્તિ છે ને! આહાહા! સ્વભાવથી જ જ્ઞાન જ્ઞાયકને જાણે છે. એમાં સ્વભાવની સન્મુખ થતાં નયોના વિકલ્પ અસ્ત થઈ જાય છે. શાંત થઈ જાય છે, અને અભેદપણે આત્માનો અનુભવ થાય છે. આ તો સ્વભાવનું જેને ભાન નહોતું અને જે વ્યવહારના પક્ષમાં પડ્યો હતો એને નિશ્ચયનય દ્વારા સમજાવે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com