SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૫૦ જાણવાનો સ્વભાવ છે. નય તો માત્ર સ્વભાવનો અંગુલીનિર્દેશ કરે છે. પહેલાં વ્યવહારનયનો પક્ષ હતો એને નિશ્ચયનય દ્વારા સમજાવે છે, તો વ્યવહારનયનો પક્ષ છૂટી જાય છે ને નિશ્ચયના પક્ષમાં આવે છે. હવે કોઈ તો સ્વભાવ સુધી પહોંચી પક્ષાતિક્રાંત થઈ અનુભવ કરી લે છે અને કોઈ નિશ્ચયનયના પક્ષમાં અટકી જાય છે. અનુભવ કરી શકતો નથી. (શ્રોતા- અનુભવ કરી શકતો નથી બરોબર.) પક્ષમાં અટક્યો ને? હવે જે નિશ્ચયનય દ્વારા સ્વભાવનું અનુમાન કરી અનુભવમાં ચાલ્યો જાય છે, પક્ષાતિક્રાંત થાય છે, એણે નિશ્ચયનયનો પક્ષ પણ છોડયો ત્યારે અનુભવ થયો. ત્યારે જ અનુભવ થયો. પક્ષમાં હતો ત્યાં સુધી અનુભવ ન થયો એમ. પક્ષ છૂટે ત્યારે જ અનુભવ થાય. નયથી આવો છું, એવો વિકલ્પ છૂટી જાય છે. અનુભવ માટે નય સાધન જ નથી. નયમાત્ર અનુમાન સુધી લઈ જાય છે, એ અનુભવ ન કરાવી શકે. ક્યાંથી કરાવી શકે ? પરોક્ષ જ્ઞાન છે તે ઇન્દ્રિયજ્ઞાન છે. માનસિક જ્ઞાન છે. બધી નય વિકલ્પાત્મક છે, એ અનુભવ ન કરાવી શકે. જ્ઞાનની પર્યાય નિશ્ચયનયે આત્માને જાણે છે એમ વિચારતાં, વ્યવહારનયથી એ પરને જાણે છે, એમ આવી ગયું. અરે! કેમ કે નય સાપેક્ષ છે ને ? એક નયથી વાત કરશે તો બીજી નય ઊભી થશે જ. (શ્રોતા- હું થશે જ. એવો એનો સ્વભાવ છે.) કેમ કે એ એકાંત ન હોય, નય સાપેક્ષ જ હોય અર્થાત્ નિરપેક્ષપણું ન હોય. અને સ્વભાવ નિરપેક્ષ જ હોય. એમ વિચારતાં વ્યવહારનયથી એ પરને જાણે છે, એમ આવી ગયું. અરે! નિશ્ચયનયથી જ્ઞાન આત્માને નથી જાણતું, સ્વભાવથી જ જાણે છે. તો કોઈ નય જ ન રહી. આ એકદમ ઊંચા પ્રકારની વાત છે. અમૃત છે. પણ ટીકા કરવી હોય તો કરે પણ, શાસ્ત્રનું નામ-આધાર લઈને. અરે, ભાઈ ! શાસ્ત્રમાં નયથી અનુમાન કરાવ્યું છે. આહા ! નિશ્ચયનયથી જ્ઞાન આત્માને નથી જાણતું, સ્વભાવથી જ જાણે છે. તો કોઈ નય જ ન રહી. સ્વભાવ હાથમાં આવી ગયો. આહાહા ! આ વાત કોઈ અપૂર્વ છે એમ તું જાણજે, એટલે કે તે અત્યાર સુધી સ્વભાવથી વિચાર્યું જ નથી. (શ્રોતા-એટલે તો અનુભવ ન થયો.) રહી ગયો. નયોના વિકલ્પમાં અટકી ગયો. ઓહો ! આ વાત કોઈ અપૂર્વ છે. નયાતીત થવા માટેની આ વાત છે. સ્વભાવથી જ સ્વભાવ જણાય. નયથી સ્વભાવની પ્રસિદ્ધિ જ ન થઈ. નય સાધન જ નથી. જો સાધન હોય તો પક્ષાતિક્રાંત થવાનાં કાળે નય રહેવી જોઈએ. માટે નય સ્વભાવની પ્રસિદ્ધિ માટેનું સાધન જ નથી. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008236
Book TitleDravya Svabhaav Paryaya Svabhaav
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1999
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy