________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૪૯ સાંભળીને ત્યાં ને ત્યાં બેસી જાય. કોઈ નય લાગુ પડતી જ નથી. સ્વભાવથી જ અકર્તા છે.) અનાદિ અનંત વસ્તુનો સ્વભાવ છે. “નિષ્ક્રિય શુદ્ધ પારિણામિક:” ઈ.... ક્રિયાને કેમ કરે ?
જ્ઞાનની પર્યાયનો સ્વભાવ આત્મા જ્ઞાતા છે. કઈ નયથી? અરે! સ્વભાવથી જ જ્ઞાતા છે. વ્યવહારનયે જ્ઞાન પરને જાણે છે અને નિશ્ચયનયે જ્ઞાન આત્માને જાણે છે-એમ નથી. અનાદિ અનંત જ્ઞાનની પર્યાય આત્માને જાણવારૂપે જ પરિણમે છે. એ જ્ઞાન આત્માને જ પ્રસિદ્ધ કરે છે.
ઈ હુમણાં કહ્યું હતું ને ઈ..... અનાદિ અનંત જ્ઞાનની પર્યાયનો સ્વભાવ જ આત્માને જાણવાનો છે. સ્વભાવથી જ જાણે છે એમ. (શ્રોતા-કોઈ નયથી નહીં એમ) અનાદિ અનંત જ્ઞાનની પર્યાય આત્માને જાણવારૂપે જ પરિણમી રહી છે. એ જ્ઞાન આત્માને જ પ્રસિદ્ધ કરે છે. કઈ નયથી જ્ઞાનમાં આત્મા જણાય અને કઈ નયથી ન જણાય? વ્યવહારનયથી ન જણાય અને નિશ્ચયનયથી જણાય એમ નથી. આગમમાં આવે છે ને એને પણ ઓળગે એવી વાત છે. (આ તો નયાતીત વાત છે ને? આગમમાં તો નયથી વાત છે.) નયથી વાત છે. (શ્રોતા- અહીંયા તો નયાતીત થવાની વાત છે.) નયાતીત થવાની વાત છે. જ્ઞાયક નયોં સે પાર છે.
જ્ઞાન આત્માને સ્વભાવથી જ અનાદિ અનંત પ્રસિદ્ધ કરે છે. એને નયની અપેક્ષા જ નથી. સ્વભાવમાં નય ન હોય. અને સ્વભાવની સિદ્ધિ માટે “નય” માત્ર અંગુલી નિર્દેશ કરે છે. અનુમાન સુધી લઈ જાય છે, બસ, બસ. (શ્રોતા- બાકી સ્વભાવમાં નય ન હોય.) ન હોય. (તું નિશ્ચયનયે અકર્તા છો કે સ્વભાવથી જ અકર્તા છો? કે; સ્વભાવથી જ અકર્તા છે? હું તો સ્વભાવથી જ અકર્તા છું. પ્રભુ! બસ- તો નયના વિકલ્પો છૂટી જશે, અને તેને અનુભવ થઈ જશે. અનુભવની આ વિધિ છે. (જો જો એકેક વાત કેવી એકદમ અક્ષર-અક્ષર પરમ સત્ય છે.) અને તેને અનુભવ થઈ જશે. અનુભવની આ વિધિ છે. વિધિ છે. જ્ઞાનની પર્યાય નિશ્ચયનયે આત્માને જાણે છે કે સ્વભાવથી જાણે છે? સ્વભાવથી જ જાણે છે, પ્રભુ!
એક વાત એવી છે ને કે બાળ-ગોપાળ સૌને સદાકાળ ભગવાન આત્મા અનુભવમાં જણાય છે. આમાં નય નથી લગાવી. આવો જ્ઞાનનો સ્વભાવ જ છે આત્માને જાણવાનો. અનાદિ અનંત જ્ઞાન સ્વભાવથી જ આત્માને જાણતું પ્રગટ થાય છે. અનાદિ અનંત જ્ઞાન સ્વભાવથી જ આત્માને જાણતું પ્રગટ થાય છે. સ્વભાવથી જ જાણતો હોય એમાં નયની અપેક્ષા ન હોય. કેવળજ્ઞાન આત્માને જાણે છે તો કઈ નથી જાણે છે? સ્વભાવથી જાણે છે. શ્રુતકેવળી આત્માને જાણે છે તો કઈ નથી જાણે છે? એ પણ સ્વભાવથી જાણે છે. જાણવાનો જ સ્વભાવ છે ને? આત્માને જ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com