SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૪૭ નયોનો પક્ષ એક, અને જ્ઞાનનો પક્ષ, બે પક્ષ જુદા છે. આ તો જે બિલકુલ અજાણ શિષ્ય છે, જેને આત્મા ત્રિકાળ અકર્તા હોવા છતાં કર્તા બુદ્ધિ થઈ ગઈ છે એને વ્યવહારનય અને નિશ્ચયનયથી સમજાવે છે. પણ હવે અત્યારે એવો કાળ આવ્યો છે કે આત્મા નિશ્ચયનયે અકર્તા છે -એમ છોડી દો. કેમકે જો નિશ્ચયનયથી આત્મા અકર્તા છે એમ તમે લેશો તો બીજી પ્રતિપક્ષ નય તમારા જ્ઞાનમાં ઊભી થશે અને મિથ્યાત્વ રહેશે. મિથ્યાત્વ રહેશે. (દષ્ટિનો વિષય દષ્ટિમાં આવશે જ નહીં.) ક્યાંથી આવે? વ્યવહારનયે કર્તા આવ્યો ને? એમાં ને એમાં એક ને એકમાં કર્તા ને અકર્તા લગાવ્યું. પર્યાય કર્તા છે એમ નહીં. વ્યવહારનયે આત્મા કર્તા છે એમ લીધું. (આત્મા કર્તા તો છે જ નહીં. પણ આત્મા નિશ્ચયનયથી અકર્તા પણ નથી. આત્મા સ્વભાવથી જ અકર્તા છે.) આત્મા સ્વભાવથી અકર્તા છે બસ. ઈ. જ (શ્રોતાઓહો આમાં તો...) માલ ભર્યો છે માલ! (શ્રોતા- બહોત માલ ભરા હૈ.). જો નિશ્ચયનયથી આત્મા અકર્તા છે એમ તમે લેશો તો બીજી પ્રતિપક્ષનય તમારા જ્ઞાનમાં ઊભી થશે અને મિથ્યાત્વ રહેશે. મિથ્યાત્વ રહેશે એમ! પણ સ્વભાવથી જુઓ તો કોઈ નયની અપેક્ષા નથી. એટલે વ્યવહારનયથી જોશો તો મિથ્યાત્વ; પણ નિશ્ચયનયની પણ અપેક્ષા નથી. સ્વભાવથી અકર્તા છે એમ. બે માંથી કોઈ નયથી ન જુઓ એમ. (શ્રોતા- સ્વભાવથી જુઓ, કોઈ નયની અપેક્ષા જ નથી, નિરપેક્ષ છે. ) નિરપેક્ષ છે. (શ્રોતાઃ- વ્યવહારનયથી વિચારે તો તો સ્પષ્ટ મિથ્યાત્વ) મિથ્યાત્વ આવશે પણ નિશ્ચયનયથી વિચારે તો! (શ્રોતા- બીજી રીતે મિથ્યાત્વ જ આવશે.) મિથ્યાત્વ જ આવશે. અનુભવ નહીં થાય. (મિથ્યાત્વ રહેશે ત્યાં સુધી) ઈ. વિકલ્પનો કર્તા થઈ ગયો. (નિરપેક્ષ સ્વભાવ દૃષ્ટિમેં નહીં આયા.) અહાહા ! વસ્તુ તો અલૌકિક છે બસ. અલૌકિક વસ્તુ છે. (શ્રોતા- આહા, નિશ્ચય-વ્યવહાર બન્નેને નહીં આલિંગન કરાયેલા.) આ ઈ છે હોં? જીવના સ્વભાવ માત્રથી અનુભવતા બધું અભૂતાર્થ અને અસત્યાર્થ છે. જેમ કે, દષ્ટાંત આપ્યું. (શ્રોતા- હાં. જી! દષ્ટાંત બહુ સરસ છે.) જેમકે, અગ્નિ ઉષ્ણ છે. કઈ નયથી? અરે, સ્વભાવથી જ ઉષ્ણ છે. પાણી શીતળ છે કઈ નયથી? અરે ! સ્વભાવથી જ શીતળ છે. જો નિશ્ચયનયે શીતળ છે એમ તમે લેશો તો વ્યવહારનયે ઉષ્ણ છે તેમ આવી જશે. શીતળ સ્વભાવ હાથમાં નહી આવે. (શ્રોતા- શીતળ ઔર ઉષ્ણકા વિકલ્પ હાથમેં આયેગા.) હા. પણ શીતળ પાણી હાથમાં નહી આવે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008236
Book TitleDravya Svabhaav Paryaya Svabhaav
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1999
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy