SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૪૩ નહીં પામે, સ્વાદને પામશે નહીં.) સ્વાદને નહીં પામે. આનંદનો સ્વાદ નહીં આવે. અશુદ્ધ નયની તો વાત જ શી, એ તો હૈ હી નહીં, પણ જો કોઈ શુદ્ધનયનો પણ પક્ષપાત કરશે તો પક્ષનો રાગ નહીં મટે. તેથી વીતરાગતા નહીં થાય. પક્ષપાતને છોડી ચિન્માત્ર સ્વરૂપ વિષે લીન થયે જ સમયસારને પમાય છે. માટે શુદ્ધનયને જાણીને તેનો પણ પક્ષપાત છોડી શુદ્ધસ્વરૂપનો અનુભવ કરી, સ્વરૂપ વિષે પ્રવૃત્તિરૂપ ચારિત્ર પ્રાપ્ત કરી વીતરાગ દશા પ્રાપ્ત કરવી યોગ્ય છે. અગાઉના પંડિતો પણ બહુ સરસ આબેહૂબ જેવું સ્વરૂપ છે તેવું સંકોત્કીર્ણ (કહેતા) (સ્વરૂપ છે તેવું કહેતા) આ જ ભાવ સમયસાર કળશટીકા, કળશ-૯૩ માં પણ પાંડે રાજમલજીએ દર્શાવ્યો છે. જેટલા નય છે તેટલા શ્રુતજ્ઞાનરૂપ છે; શ્રુતજ્ઞાન પરોક્ષ છે અનુભવ પ્રત્યક્ષ છે, તેથી શ્રુતજ્ઞાન વિના જે જ્ઞાન છે તે પ્રત્યક્ષ અનુભવે છે. શ્રુતજ્ઞાન વિના એટલે કે દ્રવ્યશ્રુત વિના, નયજ્ઞાન વિના, નયજ્ઞાનએ દ્રવ્યશ્રુત છે. (માટે શ્રુતજ્ઞાન વિનાનું જે જ્ઞાન છે, તે પ્રત્યક્ષ અનુભવે છે.) ઓલું શ્રુતજ્ઞાન પરોક્ષ છે. તેથી પ્રત્યક્ષપણે અનુભવતો થકો જે કોઈ શુદ્ધસ્વરૂપ આત્મા તે જ જ્ઞાનકુંજ વસ્તુ છે, એમ કહેવાય છે.”(વાહ! બહુ સરસ.) પૂ.ભાઈશ્રીએ પરમ કરુણા કરી ફરમાવ્યું કે, “હે ભવ્યો! અમારો આશય તો, બધા નયાતીત થાઓ. પરમાનંદને પામો એટલો જ છે. તેથી સ્વભાવ પ્રાપ્તિની રીત નયોથી જુદી છે. નયોથી સ્વભાવની પ્રાપ્તિ નહીં થાય. ન્યારી છે રીત ! શ્રીમદ્ રાજચંદ્રજીએ પણ આ રહસ્ય પત્ર નં. ૧૮૦ વર્ષ ૨૪ મું, ૨૦૮, મુંબઈ મહાવદ-૩૦, ૧૯૪૭માં દર્શાવ્યું છે. ૧૯૪૭ એ શુદ્ધસમકિત પ્રકાશ્ય એમ પાઠ છે. અનંતા નય છે, એકેક પદાર્થ અનંતગુણથી અને અનંત ધર્મથી યુક્ત છે. એકેક ગુણ અને એકેક ધર્મ પ્રત્યે અનંતનય પરિણમે છે. માટે એ માટે પદાર્થનો નિર્ણય કરવા માગીએ તો થાય નહીં. બહુ ચોખ્ખી વાત કરી છે હોં! એની વાત કોઈ બીજી હોવી જોઈએ. ઘણું કરીને આ વાતને જ્ઞાની પુરુષો જ જાણે છે. (કવો એકેક ટંકોત્કીર્ણ વચન છે.) અને તેઓ તે નયાદિક માર્ગ પ્રત્યે ઉદાસીન વર્તે છે. જેથી કોઈ નયનું એકાંત ખંડન થતું નથી, અથવા કોઈ નયનું એકાંત મંડન થતું નથી. જેટલી જેની યોગ્યતા છે, તેટલી તે નયની સત્તા જ્ઞાની પુરુષોને સંમત હોય છે. માર્ગ જેને નથી પ્રાપ્ત થયો એવા મનુષ્યો “નય” નો આગ્રહ કરે છે. આ નયથી આવો છે ને આ નયથી આવો છે. અને તેથી વિષમફળની પ્રાપ્તિ હોય છે દુઃખની પ્રાપ્તિ થાય છે. વિષમફળની આહાહા ! વિકલ્પની જાળમાં સલવાઈ ગયો, અટકી ગયો. કોઈ નય જ્યાં દુભાતો નથી એવા જ્ઞાનીના વચનને અમે નમસ્કાર Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008236
Book TitleDravya Svabhaav Paryaya Svabhaav
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1999
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy