________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૪૦ એટલે એમ વિચાર આવ્યો કે કર્તબુદ્ધિ ને જ્ઞાતાબુદ્ધિનો જે વિકલ્પ ઊઠે છે ને? એ વિકલ્પ સંસારનું કારણ છે. એમ. વિચાર આવ્યો. પછી આ શેયના સંબંધથી થાય છે એ પણ વિકલ્પ જ છે. એ પણ સંસાર છે. (શ્રોતા-એ વિકલ્પની ઉત્પત્તિનું કારણ આપને કહા ને?) વિકલ્પની ઉત્પત્તિનું કારણ છે આત્મા અકર્તા-જ્ઞાતા જાણનારને; કર્તા માને છે જણાય છે જ્ઞાયક અને માને છે કે મને પર જણાય છે એમ. એટલે વિકલ્પ ઉત્પન્ન થાય છે. પર જણાતું જ નથી, અને પરનો કર્તા નથી તો વિકલ્પની ઉત્પત્તિ જ નહીં થાય એમ. રાગ જણાય છે એમાં વિકલ્પ ઉત્પન્ન થાય છે. પણ “જ્ઞાનનું જ્ઞાન થાય છે.” તો વિકલ્પ નહીં ઉત્પન્ન થાય. (બહુ સરસ.).
શયનું જ્ઞાન થાય છે એમાં વિકલ્પ આવ્યો ને? (એમાં વિકલ્પ આવ્યો, બરાબર) જ્ઞાનનું જ્ઞાન થાય છે એમાં વિકલ્પ ન હોય. (એમાં તો નિર્વિકલ્પતા જ રહે.) નિર્વિકલ્પતા જ રહે. (વિકલ્પ આવે જ નહીં.) એક નિર્વિકલ્પ ઉપયોગ અને એક નિર્વિકલ્પ દશા પરિણતિ. ઈ.... પણ નિર્વિકલ્પ દશા છે. સવિકલ્પમાં નિર્વિકલ્પ હૈ?
(શ્રોતા-પરનું જ્ઞાન થાય છે એમાં જ વિકલ્પોની શરૂઆત થઈ જાય છે પરનું જ્ઞાન જ થતું નથી. જ્ઞાનનું જ જ્ઞાન થાય છે એમાં વિકલ્પ શાંત થઈ જાય છે.) જ્ઞાનનું જ્ઞાન થાય છે એમાં વિકલ્પ શાંત થઈ જાય છે. ખરેખર એક અપેક્ષાએ જો કહીએ તો આપણે પહેલો નંબર ઓને (કર્તબુદ્ધિને) આપીએ છીએ. કર્તબુદ્ધિ છોડવા માટે બીજી નંબર આને આપીએ છીએ. ખરેખર પહેલો નંબર ( જ્ઞાતા બુદ્ધિનો ) આવે છે. (શ્રોતાપરને જાણતો જ નથી.) પરને જાણું છું એમાં આખો સંસાર ઉભો થાય છે. જાણીને ઊભો થયો છે એમ. હાથને જાણે તો હાથને હલાવું છું એવો વિકલ્પ ઊઠે. પણ હાથ જણાતો જ નથી, તો હુલાવું છું ઈ ન આવે, અથવા મારું છે એમેય ભાસ ન થાય. જણાતું જ નથી ને! એટલે શેયથી વ્યાવૃત્ત થવું એ જ બરાબર છે. જ્ઞયનું જ્ઞાન થાય જ નહીં. જ્ઞાનનું જ જ્ઞાન થાય છે. બસ. રાગનું જ્ઞાન જ ન થાય.
નયતો આત્માને સમજવાને અર્થે કહ્યા છે. પણ જીવો તો નયવાદમાં ગુંચવાય જાય છે.
(શ્રીમદ્ રાજચંદ્રજી)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com