________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૩૯ ચાલ્યો જાય છે, અનુભવ થાય છે. સાક્ષાત્ અમૃતને પીવે છે.
(શ્રોતા-નિરપેક્ષ સ્વભાવને દેખતો નથી, અવલંબતો નથી એટલે વિકલ્પ થાય છે.) બરાબર છે. જવાબ યથાર્થ છે. સ્વભાવ સુધી નથી પહોંચતો માટે વિકલ્પ ઉત્પન્ન થાય છે. અસ્તિથી તમે જવાબ બરોબર આપ્યો. પણ નાસ્તિથી શું? (શ્રોતા-નાસ્તિથી કારણ શું છે?) હા... એમ પૂછું છું; નાસ્તિથી ઉત્પન્ન થવાનું કારણ શું છે? અસ્તિથી બરાબર છે.
એવો વિચાર આવ્યો, કર્તાપણાનો વિકલ્પ અને જ્ઞાતાપણાનો વિકલ્પ. પરને જાણું છું અને મરને કરું છું એ વિકલ્પ છે. એ સંકલ્પપૂર્વક છે, વિકલ્પ છે. આમ વિકલ્પની વ્યાખ્યા બીજી એક કરી છે. જ્ઞયના સંબંધથી જ્ઞાનમાં જે ભેદ માલુમ પડવો એનું નામ વિકલ્પ છે. ( જ્ઞયના ભેદથી જ્ઞાનમાં ભેદ માલૂમ થવો તેનું નામ વિકલ્પ છે. સ. સાર કળશ-૧૦)
(શ્રોતા-ઉસકા ક્યા મતલબ હૈ, જ્ઞાનમેં યકે ભેદસે...)
ઉસકા મતલબ યે હૈ કે જ્ઞાન તો અખંડ છે. જ્ઞાનમાં જ્ઞાન જ્ઞાનને જાણે છે. અથવા જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે એટલે અખંડ થઈ ગયું. અખંડ છે, એક જ જણાય છે જ્ઞાનમાં. વિશેષમાં સામાન્ય જણાય છે. એટલે ઈ જ્ઞાન અખંડ થયું. હવે એ જ વિશેષ છે એમાં અનેક પર પદાર્થો જણાય છે ઈ.... જ્ઞાન ખંડ થઈ ગયું. આનું જ્ઞાન થયું.... આનું જ્ઞાન થયું. “થાય છે જ્ઞાનનું જ્ઞાન,” “થાય છે જ્ઞાનનું જ્ઞાન. “એનું નામ ખંડ ખંડ થઈ ગયું એમ.
ઈન્દ્રિયજ્ઞાન પરથી, પરના સંબંધથી થયું ને? (હાં) એટલે શેયના સંબંધથી જ્ઞાનમાં ભેદ માલુમ પડવો એટલે કે આનું સ્પર્શનું જ્ઞાન થયું, રસનું જ્ઞાન થયું, સુંગધનું જ્ઞાન થયું, એ શેયના સંબંધથી જ્ઞાન અનેકાકાર દેખાણું છે જ્ઞાન એકાકાર. એકાકાર જ છે. પાંચ ઈન્દ્રિયોના વિષયને જુએ છે ત્યારે જ્ઞાન તો એકાકાર જ છે. પણ મને આનું જ્ઞાન થયું, આનું જ્ઞાન થયું, આનું જ્ઞાન થયું, ઈ... જ્ઞાન ખંડ ખંડ થઈ ગયું. જ્ઞાન પરનું થતું જ નથી. જ્ઞાન તો જ્ઞાનનું જ થાય. (બરાબર) થાય છે તો અખંડ પણ ભેદમાં આવું દેખાણું..ભેદ પડ્યોને? ખંડજ્ઞાન થઈ ગયું. ઈન્દ્રિયજ્ઞાન એમ. ઈસકા નામ વિકલ્પ હૈ.
જ્ઞાન એકાકાર છે અને પરના સંગથી અનેકાકાર દેખાય છે. દેખાય છે ઈ ભ્રાંતિ છે. જ્ઞાન અનેકાકાર થતું નથી. અનેકાકાર જેવું લાગે છે. (શ્રોતા-લાગે છે ઈ ભ્રાંતિ છે.) એ ભ્રાંતિ છે. ઈસકા નામ વિકલ્પ કહા. એ અનંતાનુબંધીનો વિકલ્પ છે. મિથ્યાદષ્ટિ વિકલ્પ છે. વિકલ્પ ગયા પછી તો જ્ઞાન પ્રગટ થાય છે ને! પછી તો અખંડજ્ઞાન પ્રગટ થાય છે. પછી તો સવાલ જ નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com