________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૨૫ જે નિશ્ચયનયનો જે વિકલ્પ છે ને તે વિકલ્પ વિરામ પામે છે અને જેવું સ્વરૂપ છે, જેવો નિર્ણય કર્યોતો વિકલ્પ દ્વારા, એવો નિર્વિકલ્પમાં અનુભવ થાય છે. (બરાબર ) વિકલ્પ દ્વારા પણ એણે પર્યાય તો રાખી” તી–પર્યાયને ઊડાડી નો” તી. પર્યાયને ગૌણ કરી ક્રમે ક્રમે જ્ઞાન થતું” તું. હવે દ્રવ્યનું અવલંબન લેતા દ્રવ્યપર્યાયનું અક્રમે જ્ઞાન થાય છે. જો એકલા દ્રવ્યનું જ્ઞાન થાય અને પર્યાયનું જ્ઞાન ન થાય તો સાંખ્યમત. એકલી પર્યાયનું જ્ઞાન થાય અને દ્રવ્યનું જ્ઞાન ન થાય તો બોદ્ધમતી છે. અને વસ્તુ એવી નથી.
વસ્તુ દ્રવ્યપર્યાય સ્વરૂપ છે બેન! વસ્તુ આખી દ્રવ્યપર્યાય સ્વરૂપ છે. વસ્તુ આખી અનુભવમાં આવે છે. અનુભવમાં એટલે જ્ઞાનમાં શેય થાય છે (બરાબર) એ નિર્વિકલ્પ ધ્યાનમાં થાય છે. વિકલ્પ બેય છૂટી જાય છે અનુભવ પહેલાં વ્યવહારનો, નયનો, પર્યાયનો વિકલ્પ છૂટે છે. પર્યાય, અનિત્ય ને નાશવાન છે “હું તો ત્રિકાળી સામાન્ય છું” એટલે સામાન્ય ઉપર જ્યારે જોર આવે છે અંદરથી એનું ગુરુદેવ દષ્ટાંત આપે છે કે ગમે તેવો તાપ પડતો હોય સમુદ્ર ઉપર, પણ અંદરથી ભરતી આવે છે એને કોઈ રોકી શકતું નથી. (બરાબર) અંદરથી કોઈ એવી પળ આવે છે પળ જ છે એક જાતની કે ઈ પળ. અંદરથી આવે છે. ઓલ દ્રવ્યમનના અવલંબને વિચાર ચાલતો ? તો (બરાબર ) દ્રવ્યમનનું અવલંબન છોડે છે. અંશે મન, સર્વાશે માનસિક જ્ઞાન છૂટે તો તો કેવળજ્ઞાન થાય અને અંશે પણ જો મનનું અવલંબન ન છૂટે તો અનુભવ ન થાય. એમ અંશે દ્રવ્યમનનું અવલંબન છૂટે છે. એટલે કે ઈ જે ભાવમન, એનું જ નામ હતું ઈ બદલી જાય છે અને શ્રુતજ્ઞાન નામ પામે છે. એ દ્રવ્યને પ્રત્યક્ષ અનુભવે છે. અને એ પરિણામ અભેદ થાય છે. અભેદ થયેલા પરિણામ દ્રવ્યપર્યાયને યુગપઃ એક સમયમાં, એક સમયમાં ઈ, જ્ઞાનમાં જ્ઞય
ય છે આખો આત્મા. આશ્રય એકનો, જ્ઞાન બનું. અથવા આશ્રય એકનો અને જ્ઞાન પણ એકનું ભેદ અપેક્ષાએ બેનું અને અભેદ અપેક્ષાએ એકનું. એવી સ્થિતિ અનુભવના કાળમાં થાય છે, ત્યારે બધા વિકલ્પો સમાસ પામે છે. નયોની લક્ષ્મી ઉદય પામતી નથી એટલે વિકલ્પ ઉત્પન્ન થતો નથી એટલે વિકલ્પનું દુઃખ પણ આવતું નથી, પરિણામમાં આનંદની અવસ્થા પ્રગટ થાય છે અને આનંદનો અનુભવ આવે છે.
એવા શુદ્ધવસ્તુમાત્ર જીવના સ્વભાવને જોયું, ત્રિકાળી સ્વભાવ લેવો, એનો અનુભવ કરતા એટલે એને અનુસરીને પરિણમતાં જ્યારે શુદ્ધાત્માને અનુસરીને પરિણમે ત્યારે કારણ તત્ત્વ અને કાર્યતત્ત્વ બેય શુદ્ધ હોય છે. આ બે પ્રકારના ક્રમે વિકલ્પ આવતા” તા એ એને નહીં આલિંગિત, દ્રવ્યપર્યાયનો વિકલ્પ હવે છૂટી ગયો. આલિંગન કરતો નથી. તેઓ અભૂતાર્થ અને અસત્યાર્થ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com