________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૨૪
એ બે પ્રકારે નયોના વિકલ્પ ક્યારે જાય? એનું હવે કારણ આપે છે. પહેલાં શુદ્ધ આત્માનો અનુભવ કરે તો આ બે વિકલ્પ જાય એમ ન લખ્યું. (હાં ઐસા નહીં લિખા ) નહીંતર જાય તો શુદ્ધ આત્માના અનુભવ પછી જાય ઈ વિકલ્પ. પણ છતાં પહેલાં એમ લીધું કે; દ્રવ્ય તથા પર્યાય એ બન્નેથી નહીં આલિંગિત કરાયેલા એવા શુદ્ધ વસ્તુમાત્ર જીવના સ્વભાવનો અનુભવ કરતાં તેઓ અભૂતાર્થ ને અસત્યાર્થ છે. અહીંયા બેય વિકલ્પ છૂટી જાય છે, નયોના બન્ને વિકલ્પ. ઓમાં બન્નેને અનુસરીને જ્ઞાન થતું'તું, આમાં સ્વભાવને અનુસરીને જ્ઞાન નવું અતીન્દ્રિય પ્રગટ થાય છે.
શુદ્ધ વસ્તુમાત્ર જીવના સ્વભાવનો અનુભવ કરતાં, “જે શુદ્ધ જાણે આત્માને તે શુદ્ધ આત્મા જ મેળવે” એવી પળ આવે છે જ્યારે, ત્યારે દ્રવ્ય અને પર્યાય એ બેના જે ક્રમેક્રમે વિકલ્પ ઉઠતા 'તા એમાં પછી ઈ વખત આવે છે કે પર્યાયનો વિકલ્પ ગૌણ થઈ જાય છે, અને દ્રવ્યનો વિકલ્પ મુખ્ય રહે છે કે: “હું જ્ઞાયક છું.” પછી જ્ઞાયકનો જે વિકલ્પ આવતો 'તો એમાં મનનું જ્યારે અવલંબન હતું. પછી એક જ્ઞાન એવું પ્રગટ થાય છે કે જ્ઞાયકનું અવલંબન આવે છે. જ્ઞાયકનું જ્યારે અવલંબન આવે છે; ત્યારે એનો છેલ્લો દ્રવ્યસંબંધેનો જે નયપક્ષનો વિકલ્પ હતો તે પ્રલય પામે છે. ત્યારે એક સાથે દ્રવ્યપર્યાયનું જ્ઞાન થઈ જાય છે. ઓમાં ક્રમે જ્ઞાન થતું'તું. આમાં દ્રવ્યને આશ્રયે દ્રવ્યનું પણ જ્ઞાન થયું; અને આનંદનું પણ જ્ઞાન થયું. આનંદ પર્યાય પ્રગટીને એનું પણ જ્ઞાન થઈ જાય છે.
શુદ્ધ વસ્તુમાત્ર એવા સ્વભાવનો અનુભવ કરતાં, એટલે એને અનુસરીને પરિણમતાં તેઓ, તેઓ એટલે આ જે બે વિકલ્પ હતા-આ દ્રવ્ય છે ને આ પર્યાય છેમુખ્યગૌણ કરીને વિકલ્પ હતા, તે અભૂતાર્થ થઈ જાય છે. એને કહ્યું કે દ્રવ્યપર્યાયને નહીં આલિંગિત. ( બરાબ૨) પહેલાં દ્રવ્ય પર્યાયને આલિંગિત હતું તે વિકલ્પ હતો. હવે શુદ્ધાત્માનું અવલંબન જ્યારે કરે છે ત્યારે દ્રવ્ય અને પર્યાય એના લક્ષે થતો ક્રમિક વિકલ્પ તો એ છૂટી જાય છે. હું તો ચિદાનંદ આત્મા જ્ઞાયક જ છું. શુદ્ધ આત્માનો નિર્વિકલ્પ અનુભવ થાય છે. આ બે પ્રકારના વિકલ્પ છૂટી જાય છે. (નયોની લક્ષ્મી ઉદય પામતી નથી ) અનુભવમાં ઉદય પામતી નથી, અનુભવ કાળે નયના વિકલ્પ હોય જ નહીં.
દ્રવ્ય સ્વભાવ જે છે ને, એક પર્યાય સ્વભાવ ને એક દ્રવ્યસ્વભાવ, હવે દ્રવ્યસ્વભાવ વિષે પહેલાં નયથી દ્રવ્યનો નિર્ણય કરે છે પછી સીધો એનો જે સ્વભાવ, સ્વભાવ એનો આવિર્ભાવ થાય છે. સ્વભાવ તરફ જ્ઞાન વળે છે અને વળતું વળતું વળી જાય છે. અભેદ થાય છે, ત્યારે છેલ્લો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com