________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-રર થાય છે. દ્રવ્ય મુખ્ય થાય છે. દ્રવ્યનું જ્ઞાન એટલે વિચાર એ મુખ્ય થાય છે. દ્રવ્યનું શું સ્વરૂપ છે? એમ કે અનંત ગુણાત્મક છે. એના લક્ષણો પરિણામિક વગેરે (હું..... બરાબર) દ્રવ્યનો મુખ્યપણે અનુભવ કરાવે એટલે જ્ઞાન કરાવે આ વિકલ્પાત્મક છે, તે દ્રવ્યાર્થિકનય છે.
હવે જ્યારે દ્રવ્યનું મુખ્યપણે જ્ઞાન કરાવે ત્યારે પર્યાય ગૌણપણે રહી ગઈ છે. પર્યાય ગૌણપણે છે પણ પર્યાયને લક્ષ કરીને અત્યારે વિચાર ચાલતો નથી. અત્યારે દ્રવ્યનું લક્ષ કરીને વિચાર ચાલે છે. એટલે મુખ્ય શબ્દ એમ આવ્યો કે પર્યાય છે, પર્યાયનો અભાવ નથી પણ ગૌણપણે છે, મુખ્યપણે દ્રવ્યનો અત્યારે વિચાર ચાલે છે ત્યારે અત્યારે પર્યાયનો વિચાર નથી. એમ એટલું જ. મુખ્યમાં પર્યાય ગૌણ થઈ ગઈ અને પર્યાયનો મુખ્યપણે અનુભવ (જ્ઞાન) કરાવે, પર્યાયનું જયારે જ્ઞાન કરાવે કે પર્યાયનો શું સ્વભાવ? કહે ઉત્પાદવ્યય પર્યાયનો સ્વભાવ છે વિગેરે, તો મુખ્યપણે અનુભવ કરાવે ત્યાં ગૌણપણે દ્રવ્ય રહી ગયું છે, એટલે એકાંતનો દોષ લાગતો નથી. અનેકાંતને સમજવાનો પ્રયત્ન ચાલે છે. પર્યાયનો મુખ્યપણે અનુભવ એટલે જ્ઞાન કરાવે એનું નામ પર્યાયાર્થિક નય છે. (ત્યાં આનંદ પર્યાયમાં આવે છે) આનંદ પર્યાયમાં આવે છે (અનુભવ પર્યાયમાં આવે છે) અનુભવ પર્યાયમાં થાય છે. પર્યાયમાં સમ્યગ્દર્શન થાય છે, પર્યાયમાં મોક્ષમાર્ગ થાય છે, પર્યાયમાં મોક્ષ થાય છે એમ બધું પર્યાયાર્થિક નયથી પર્યાયનો બધો વિચાર કરે છે. બંધ મોક્ષ પર્યાયમાં થાય છે એમ અને બંધમોક્ષથી રહિત દ્રવ્ય છે એ તો ત્રિકાળ મુક્ત જ છે. એમ કરીને દ્રવ્ય અને પર્યાયનો આખો સળંગ વિચાર કરી લે. સમજી ગયા ! નવે તત્ત્વ એમાં આવી જાય છે.
તે બન્ને નયોની-બે નયોથી મુખ્યગૌણ કરીને વાત કરી હતી તે બંને નયો-દ્રવ્ય અને પર્યાયનો; પર્યાયથી એટલે ભેદથી ક્રમથી દ્રવ્યનો વિચાર કરે છે મુખ્યપણે, ત્યારે પર્યાયનો વિચાર નો 'તો, પર્યાયનો વિચાર કરે છે ત્યારે દ્રવ્યનો વિચાર નો' તો, એને દ્રવ્યને પર્યાયનો ભેદ કરીને ભેદ કરે એટલે ક્રમ પડી જાય. ભેદ કરેને એટલે ક્રમ પડી જાય; એક પછી એક. યુગ૫૬ બેનું જ્ઞાન ન થાય. વિકલ્પાત્મક જ્ઞાનમાં એક પછી એક. (અચ્છી તરહ) અચ્છી તરહ. ધીમે ધીમે લેશું પૂરેપૂરું.
આચાર્ય ભગવાન સમજાવે છે કે પહેલાં વાત તમને કરી હતી કે, દ્રવ્યનો વિચાર કરે મુખ્યપણે ત્યારે પર્યાય છે પણ ગૌણ થઈ ગઈ, વિચાર કોટીમાં એ વખતે ન આવી. પર્યાયનો માનસિક જ્ઞાનમાં વિચાર કરે છે ત્યારે દ્રવ્ય છે. દ્રવ્ય ગૌણ થઈ ગયું અને પર્યાયનો મુખ્યપણે વિચાર ચાલે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com