SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૨૧ તરફસે. ઉસકો ઉપાદેય માને જ્ઞાન કે વિષય કો તો દષ્ટિ મિથ્યા હો જાતી હૈ) મિથ્યા હો જાતી હૈ. (ઔર ફીર દષ્ટિ કે હિસાબ સે જાનને સે ભી નકાર કરે તો જ્ઞાન મિથ્યા હો જાતા હૈ) નકાર કરે, (તો જ્ઞાન મિથ્યા હો જાતા હૈ) મિથ્યા હો જાતા હૈ. આ તો દષ્ટિ સમ્યક થાય અને જ્ઞાનય સમ્યફ થાય એવી વાત છે. આ છ લીટીમાં એમ લીધું બધું. (એકદમ નિર્દોષ વાત છે.) (નયોનો વિષય જ્ઞાનમાં હોય, શ્રદ્ધામાં ન હોય) ન હોય. (આમાં તો એકાંત હોય) એકાંત હોય. (એકાંતની શ્રદ્ધાપૂર્વક બે નયોનો જ્ઞાતા થઈ જાય છે) હું, સમ્યક એકાંતપૂર્વક અનેકાત થાય. આઠ નંબરનો કળશ અને ઈ કળશ ઉપરની ટીકા ચાલે છે. કળશ ઉપરની ટીકા ચાલતાં ચાલતાં નય બે પ્રકારના છે એમ આવે છે કેમ કે નય, નિક્ષેપ, ને પ્રમાણ, ઈ આત્માના સ્વરૂપને સમજવા માટે એક માનસિક જ્ઞાન એટલે વિકલ્પાત્મક નય કહેવામાં આવે છે. (બરાબર) એટલે જેને શુદ્ધાત્માનો અનુભવ નથી એક, અને શુદ્ધાત્માનો નિર્ણય પણ નથી, તો અનુભવ માટે નિર્ણય હોય, અનુભવ માટે નય ન હોય, તો નયાકિતક્રાંત થાય. (બરાબર) પણ અનુભવ પહેલાં સ્વરૂપ સમજવા માટે આટલું એક સાધન છે. મનવાળું પ્રાણી સમ્યફ પામે છે એનું અનુસંધાન આમાં છે. કેમ કે નય છે એ વિકલ્પ ઈ મનનો ધર્મ છે, જ્ઞાનનો ધર્મ નથી નય. (બરાબર) તો એ મન દ્વારા બે નય દ્વારા ક્રમે ક્રમે એકને મુખ્યને એકને ગૌણ કરીને કમેક્રમે સમજવાનો પ્રયત્ન કરે છે એને સાધન કહેવામાં આવે છે. એ આત્માના સ્વભાવનો નિર્ણય કરવાનું સાધન છે પ્રાથમિક ભૂમિકામાં. પછી તો નયાતિક્રાંત થાય છે. હવે એ સમજાવે છે, બે નય દ્વારા. કે નય બે પ્રકારે છે. બે પ્રકારે નય કેમ છે? નયના બે પ્રકાર કેમ પડે છે, કે વસ્તુ દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે એટલે નય બે થઈ. એનું કારણ કે ધર્મ બે છે. આત્મા એક એમાં ધર્મ બે, એક દ્રવ્યરૂપ ધર્મ અને એક પર્યાયરૂપ ધર્મ. ઈ બે ધર્મને ધારણ કરનારો આખો આત્મા પ્રમાણજ્ઞાનનો વિષય છે. એટલે એમાં ને એમાં જે દ્રવ્યને વિષય કરે છે તે દ્રવ્યાર્થિકનય, પર્યાયને વિષય કરે તો પર્યાયાર્થિક નય એમ કરીને સમજાવે છે. નય બે પ્રકારે છે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. ત્યાં દ્રવ્યપર્યાયસ્વરૂપ વસ્તુમાં જો ! વસ્તુ કેવી છે? (દ્રવ્ય પર્યાય સ્વરૂપ) દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે. એમાં દ્રવ્યનો મુખ્યપણે અનુભવ કરાવે, દ્રવ્યનું મુખ્યપણે જ્ઞાન કરાવે અનુભવ એટલે અહીંયા જ્ઞાન, મુખ્ય કેમ કહ્યું? કે દ્રવ્યનો જ્યારે વિચાર કરે છે ત્યારે પર્યાયનો વિચાર નથી, પર્યાય ગૌણ થાય છે. પર્યાયનું જ્ઞાન ગૌણ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008236
Book TitleDravya Svabhaav Paryaya Svabhaav
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1999
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy