________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૯ તો સમ્યક થઈ ગયું. સમ્યક એટલે સાચું જ્ઞાન થઈ ગયું. નિરપેક્ષ નયા એટલે મિથ્યાનયમાંથી નીકળી ગયો. (અન્યમતનું ખંડન થઈ ગયું) મતાર્થીનો નાશ થયો. બહુ વ્યવસ્થિત છે. આ શાસ્ત્ર મોટું હોઈ, એવું લખ્યું હોય એવું લાગે છે. (ઘણા રહસ્યોથી ભરેલું છે) રહસ્યોથી, સમજે ઈ સમજે.
પરંતુ સાપેક્ષતામાં આવવાના કારણે અર્થાત નયજ્ઞાનમાં આવવાના કારણે, નિરપેક્ષ સ્વભાવથી દૂર થઈ ગયો. સ્વભાવ તો નિરપેક્ષ હતો. દ્રવ્યથી પર્યાય નિરપેક્ષ, પર્યાયથી દ્રવ્ય નિરપેક્ષ. પરસ્પર સાપેક્ષ પણ પરસ્પર નિરપેક્ષથી છે પરસ્પર સાપેક્ષ પ્રમાણમાં આવ્યો. પરસ્પર નિરપેક્ષ નયમાં આવી ગયો. (અર્થાત્ ) સ્વભાવમાં આવી ગયો એમ. નયજ્ઞાનથી સ્વભાવની પ્રાપ્તિ નથી થતી. કેમકે સ્વભાવ, સ્વભાવથી જ નિરપેક્ષ છે. નયને સમ્યક્ કરવા ગયો, તો સ્વભાવથી દૂર થઈ ગયો અને સ્વભાવમાં આવ્યો, તો નયપક્ષ સ્વયં સહજ અસ્ત પામી જાય છે. આ... (બહુ સરસ ) આ બધી માર્મિક વાતો છે આહાહાહા.......
નયનું પ્રતિપાદન સરખું કરવા સાપેક્ષથી વાત કરવી જ જોઈએ. (હું, સહી બાત હૈ) ત્યારે જ નયથી સિદ્ધિ થાય ને? એમ નયની સિદ્ધિ કરવી હોય તો સાપેક્ષ જ હોય નહીંતર નયની સિદ્ધિ ન થાય તો મિથ્યાનય થઈ જાય. નય સાપેક્ષ હોય, સ્વભાવ નિરપેક્ષ હોય એમ ઈ વાત છે. કોક સમજશે આવી વાતો. લાખ, લાખ, લાખ લાખમાં એક. તમને વિચાર આવ્યો ને ઈ સાચી વાત છે. આ તો હજમ થવું ઘણું મુશ્કેલ છે. (સમજ નહીં સકતે ના) હા, એટલે જ અભ્યાસ હોય ને ઈ સમજી શકે. એને તો અમૃત લાગે. નયનું પ્રતિપાદન સરખું કરવા સાપેક્ષથી વાત કરવી જ જોઈએ. બરાબર–બરાબર. બે નયથી વાત છે જ, દ્ધિનયાશ્રિત છે જિનવાણી. હાં. નહીં તો એકાંત થઈ જાય. અનેકાંતને માનો છો ? હા. અનેકાંત થઈ ગયું. નયથી કહું તો અનેકાંત થાય, સ્વભાવથી એકાંત થાય. બરાબર, નયથી અનેકાંત થઈ જાય. અને સાપેક્ષ કરવા જતાં આત્માનો અનુભવ ન થાય કારણકે નિશ્ચયનયથી આત્મા અકર્તા છે એમ કહેતા, કહ્યા વગર પણ વ્યવહારનયથી કર્તા છે એમ આવી જાય છે. ભલે બોલે નહીં, હું અકર્તા છું નિશ્ચયથી અકર્તા છું, અથવા ભાવમાં રાખ્યું એટલે ખલાસ, અકર્તા દષ્ટિમાં ન આવ્યો. પ્રમાણમાં જ ઊભો છે. એ તો પ્રમાણની સિદ્ધિ થાય છે. પ્રમાણમાં પકડાઈ ગયો, પ્રમાણની બહાર તો ન ગયો પ્રમાણમાં આવ્યો પણ પ્રમાણમાં અટક્યો. નિશ્ચયનયથી આત્મા અકર્તા છે એમ કહેતાં, કહ્યા વગર પણ વ્યવહારનયથી કર્તા છે, એમ આવી જાય છે. એટલે આમ સાપેક્ષ સિદ્ધ કરવામાં પણ જીવ નયાતિ દાંત થતો નથી. કારણકે ત્રિકાળી વસ્તુ કે જે શ્રદ્ધાનો વિષય છે તે સાપેક્ષ નથી. તે તો નિરપેક્ષ જ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com