SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૪ (૩) નય અંશગ્રાહી છે. ત્રણેય ઉપર લીટા કર્યા લાલ, એક-બે ને ત્રણ છે ને! પહેલામાં તો નયજ્ઞાન સાપેક્ષ છે, બીજામાં નય વિકલ્પરૂપ છે; અને ત્રીજામાં નય અંશગ્રાહી છે. (ત્રણે વાત ૪ભેગી આવી ગઈ ) કેમકે નયનો ધર્મ એક એકને જાણે, બે નયના વિષયને ન જાણી શકે, ઈ અતીન્દ્રિયજ્ઞાનનું કામ છે, નયજ્ઞાન અંશગ્રાહી હોઈ ક્રમે ક્રમે એકને જાણે અને એકને ન જાણે એવું હોય-વ્યવસ્થિત આવ્યું છે; વ્યવસ્થિત છે. આહાહાહા! નયજ્ઞાન સાપેક્ષ છે. સાપેક્ષમાં શું દોષ આવ્યો? કે સાપેક્ષમાં પ્રતિપક્ષ વ્યવહારના પક્ષનો વિકલ્પ ઉત્પન્ન થતાં મિથ્યાત્વનું શલ્ય રહી જાય છે. (નિશ્ચયનય સાપેક્ષ છે) સાપેક્ષ છે સાપેક્ષમાં શું થાય કે પ્રતિપક્ષ વ્યવહારના પક્ષનો વિકલ્પ ઉત્પન્ન થતાં મિથ્યાત્વનું શલ્ય રહી જાય છે. એમ જ છે. નહીંતર એને એમ લાગે કે એકાન્ત છે. એકાન્ત થઈ જશે એટલે ઈ વ્યવહારનયમાં ચાલ્યો જાય છે. સ્વભાવ હાથમાં નથી આવતો. (આ બહુ માર્મિક વાત છે હો ) સાપેક્ષમાં પ્રતિપક્ષ વ્યવહારના પક્ષનો વિકલ્પ ઉત્પન્ન થતાં હજુ પક્ષ છે વ્યવહારનો. નિશ્ચયનયે સ્વને જાણે છે અને વ્યવહારનવે પર જાણે એમ. નિશ્ચયનય અને જાણે છે એમ લેતાં વ્યવહારનયે પરને જાણે છે એમ શલ્ય આવશે. ત્યારે શું વ્યવહારનવે પર જાણતો નથી? આહાહા ! એ તો સ્વભાવથી જ પરને જાણતો નથી, સ્વભાવ જ એવો છે. (હું) (જ્યારે એકલો સ્વભાવ આવે એના જ્ઞાનમાં ત્યારે સ્વાભાવિક જ્ઞાન પ્રગટ થાય) પ્રગટ થાય (વિકલ્પ તો થાય જ નહીં) સ્વભાવથી જ્ઞાયક છે; એમ સ્વભાવથી જ્ઞાયકને જાણે છે. એનો પરને જાણવાનો સ્વભાવ જ નથી. જ્યારે નિરપેક્ષમાં આવતાં, નિરપેક્ષમાં આવતાં એટલે સ્વભાવમાં આવતાં, સ્વભાવમાં આવતાં દષ્ટિ તથા જ્ઞાન સમ્યફ થાય છે વિકલ્પ છૂટી જાય છે અને બે નયોનો જ્ઞાતા થઈ વીતરાગતા પ્રગટ થાય છે. (બહુ સરસ ). રચના સારી થઈ ગઈ છે હો. ( બિલકુલ જેમ બને છે તેવી જ રીતની વાત છે નિરપેક્ષમાં આવતાં, સ્વભાવમાં આવતાં દષ્ટિ તથા જ્ઞાન સમ્યક થાય છે; વિકલ્પ છૂટી જાય છે અને બે નયોનો જ્ઞાતા થઈ જાય છે. જ્ઞાતા થઈ વીતરાગતા પ્રગટ થાય છે તમને પૂછયું તું ને કે પર્યાય જણાય છે કે નહીં? તમે કહ્યું હા જણાય. બે નયનો જ્ઞાતા થઈ ગયો ને. આહાહાહા..... નય વિકલ્પરૂપ છે વિકલ્પથી સ્વભાવની પ્રાપ્તિ થતી નથી. નયપક્ષ આકુળતારૂપ છે. પહેલો દોષ તો સાપેક્ષનો હતો બીજો દોષ વિકલ્પરૂપે છે. વિકલ્પરૂપે છે એ દોષ બતાવ્યો એટલે વિકલ્પથી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008236
Book TitleDravya Svabhaav Paryaya Svabhaav
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1999
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy