________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૯ આત્મામાં બે રૂપ, એક આત્માના નથી. આ હું દ્રવ્યસ્વભાવની વાત કરું છું. દ્રવ્ય સ્વભાવથી અકર્તા જ છે અને કર્તા નથી. હવે કોઈ કહે દ્રવ્યસ્વભાવ અકર્તા છે તો એકાંત થઈ જશે માટે નિશ્ચયનયે અકર્તા અને વ્યવહારનયે કર્તા, તો વ્યવહારનયે જે કર્તા શબ્દ વાપર્યો ઈ વ્યવહારનયે કર્તા નથી. સ્વભાવથી અકર્તા છે. કેમકે વ્યવહારનયે જે કર્તાનો ઉપચાર આવ્યો હોવા છતાં પણ તેને વ્યવહારનયે કર્તા કહ્યું, સાપેક્ષ થઈ ગયું. એક જ આત્મામાં બે ધર્મ નથી. એક આત્મામાં એક ધર્મ છે. અકર્તામાં કર્તાનો ધર્મ નથી એમાં એ ક્રિયાના કારકો નથી, નિષ્ક્રિય છે, “નિષ્ક્રિય શુદ્ધ પારિણામિક: ”
જીવને, આત્માને દ્રવ્યસ્વભાવથી જોતાં સરળતાથી સ્વભાવ હાથમાં આવી જાય છે. ઓમાં પ્રમાણમાં આવી જ જાય, નયમાં આવી જ જાય. એટલે કે વ્યવહારમાં આવી ગયો. એટલે નયનો નિષેધ કર્યો એનું કારણ આ છે. તું સ્વભાવથી જો ને!? આહાહા. એમાં ૧૪૪મી ગાથામાં વાત મૂકી છે કે તું શ્રુતજ્ઞાન વડે “હું જ્ઞાનસ્વભાવી આત્મા છું” એમ નિર્ણય કર. નિશ્ચયનયથી જ્ઞાનસ્વભાવી છે એમ લખ્યું નથી. (બરાબર. અને નિર્ણય હી જ્ઞાન સ્વભાવસે નિરપેક્ષ જ્ઞાનસ્વભાવસે હોતા હૈ.) હાં ત્યાં પણ એણે નય ન લગાવી, નિર્ણય માટે પણ નિર્ણય કરો. પર્યાયને સ્વભાવથી જો. દ્રવ્યને જાણવાની બે નય અને પર્યાયને જાણવાની બે નય એમ ચાર નય લગાવી પર્યાય નિશ્ચયનયથી સ્વને જાણે અને જ્ઞાનની પર્યાય વ્યવહારનવે પર જાણે, દ્રવ્ય છે તો નિશ્ચયનયે અકર્તા અને વ્યવહારનયે કર્તા દ્રવ્ય! દ્રવ્ય! હાં દ્રવ્યમાં કર્તાનો ધર્મ નથી; અને જ્ઞાનની પર્યાયમાં પરને જાણવાનો ધર્મ જ નથી. (આહાહા! વાહ રે વાહ! બહુ સરસ) જો વ્યવહાર કહેશો તો એવો ધર્મ દેખાશે, જે નથી એ દેખાશે. (વાહ રે વાહુ બહુ સરસ )
એક જે પદાર્થ છે ઈ પદાર્થને બે નયે ન જો. બે નયે જોતાં દેખાશે જ નહીં. કેમકે બે નયનો વિષય જ નથી સાંભળજો; જ્ઞાયકભાવ બે નયનો વિષય જ નથી. એક નયનો પણ વિષય નથી. એને સ્વભાવથી જો. ને ( જ્ઞાયકભાવ બે નયનો વિષય જ નથી; એક નયનો પણ વિષય નથી; એને સ્વભાવથી જો ને! ( જ્ઞાયકભાવ કોઈ નયનો વિષય નથી) કોઈ નયનો વિષય નથી. (નયનો વિષય જ નથી)
નયજ્ઞાન અનેકાંતની સિદ્ધિ કરે છે. અને સ્વભાવજ્ઞાન સમ્યક એકાંતની સિદ્ધિ કરે છે. (નયસે અનેકાન્ત કી સિદ્ધિ હોતી હૈ સ્વભાવસે એકાન્ત) હાં સ્વભાવથી એકાન્તની સિદ્ધિ થાય છે. (પરમ સત્યવાત છે બહુ સરસ ) શું કહે છે? (એકદમ સત્ય) એમ! (હાં બરાબર) કેમકે નય પરસ્પર સાપેક્ષ છે ને ? (બહુ સરસ ).
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com