SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૮ રહિતપૂર્વક સહિત થાય ત્યારે સમ્યજ્ઞાન કહેવાય. એકલું રહિત એ તો પક્ષ છે. દષ્ટિના વિષયનો પક્ષ છે; દષ્ટિ નથી. (દષ્ટિ નથી, દષ્ટિ સાથે આવું જ્ઞાન પ્રગટ થાય છે ) દષ્ટિ સાથે જ્ઞાન હોય જ અવિનાભાવ છે. શ્રદ્ધાનો વિષય પૂરો અને જ્ઞાનનો વિષય પૂરો જેટલું કેવળી જાણે એટલું આ જાણે-હરણીયું અને દેડકું બોલો, જંગલમાં-અનુભવના કાળે. (બરાબર, બહુ સરસ) (જેમ આત્માને જોઈ જોઈને બોલતા હો તેવું લાગે છે. હાં, જોઈ જોઈને બોલે છે એવું લાગે છે કે હું, (કેવું સ્પષ્ટ સ્વરૂપ છે ) સ્પષ્ટ આવે છે હોં. પક્ષ છે ઈ રાગ છે– ઈ જ સંસાર છે (જેટલું કેવળી જાણે છે એટલું જ ઈ જાણે છે જે રીતે કેવળી જાણે એ રીતે જ ઈ જાણે છે) એ રીતે જ અક્રમે વિકલ્પ વિના, અનંતગુણ, અનંત પર્યાય, અનંતધર્મને સમય એકમાં જાણી લ્ય. ઈ અનંત કેવો છે? ઈ અનંતનો અંત નથી એવો અનંત છે. અનંત ગુણ, અનંત ગુણ, અનંત ગુણ પણ અનંતનો અંત તો છે નહીં. આહાહા અંત નથી. (એટલે તો અનંત છે) હા, સંખ્યા ગમે તેટલી કરવા જાય એક-દશ-સો-હજાર-અબજ ગણાય નહીં એટલી સંખ્યા છે, અનંત ગુણ-અવંતીપર્યાયઅનંતાધર્મોને એક સમયમાં જાણી લે છે. આ શું? આનું નામ સમ્યજ્ઞાન છે, મિથ્યાજ્ઞાનમાં કંઈ ન જણાય અંધારું છે, આ તો પ્રકાશ છે ને! પ્રસ્તુત ચર્ચામાં પક્ષાતિક્રાંત થવાની ગૂઢ વિધિ સમજાવતા પૂ. ભાઈશ્રીએ ફરમાવ્યું કે દ્રવ્યસ્વભાવને સ્વભાવથી જો અને પર્યાયસ્વભાવને પણ સ્વભાવથી જો, કોઈ નયથી ન જો. દ્રવ્યસ્વભાવને નયથી ન જો અને પર્યાયસ્વભાવને પણ નયથી ન જો. દ્રવ્યસ્વભાવમાં નિશ્ચયનયથી આમ અને વ્યવહારનયથી આમ, અને પર્યાયસ્વભાવમાં નિશ્ચયનયથી પર્યાયનો આવો સ્વભાવ બેયમાં બબ્બે નય લગાવીને ચાર નયથી જોવાનું બંધ કરી દે; કેમકે બન્નેમાં બબ્બે નય લાગે છે, લાગે છે કે નહીં ? (બરાબર, નય સે નહીં દેખના) ચાર ન લગાવીશ તો વિકલ્પની જાળ ઊભી થશે સ્વભાવથી જો. આહાહાહા ! (સ્વભાવથી જુએ તો જ્ઞાન પ્રગટ થાય) જ્ઞાન પ્રગટ થાય અને અજ્ઞાન ટળી જાય. મેં તો સ્વભાવસે જ્ઞાયક હું.” “મેં તો સ્વભાવસે જ્ઞાયક હૂં” એમ જે આવ્યું ને ઈ મને બહુ ગમ્યું. ઈ શબ્દ શાસ્ત્રમાંથી ગોત્યો સ્વભાવથી જો. “ આત્મા સ્વભાવથી જ જ્ઞાયક છે.” એમાં નયનો ઉપયોગ કર્યો નથી. સ્વભાવ શબ્દ વાપર્યો છે. સ્વભાવથી જ જાણનાર છે ને? નિશ્ચયનયથી જ્ઞાયક છે તો બીજી નયે બીજું છે એમાં? બીજો ધર્મ જ નથી એનામાં (નિશ્ચયનયથી પણ દ્રવ્યસ્વભાવ ખ્યાલમાં નથી આવતો). નિશ્ચયનયથી અકર્તા કહેશે તો એને એ આત્મા વ્યવહારનયે કર્તા દેખાશે. (એટલે આત્મા જ નહીં દેખાય) ક્યાંથી દેખાય? એક જ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008236
Book TitleDravya Svabhaav Paryaya Svabhaav
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1999
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy