________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૬ છે તે પક્ષાતિક્રાંત થઈને કેમ અનુભવ થાય એના માટે જ છે આ. પક્ષમાં તો આવ્યો ગુરુદેવના પ્રતાપે, કુંદકુંદ ભગવાનના પ્રતાપે પણ અનુભવ ન થયો.
“નયેય કથન જાણે જ કેવળ સમયમાં પ્રતિબદ્ધ છે,
નયપક્ષ કંઈ પણ નવ ગ્રહે, નયપક્ષથી પરિહીન તે.” ૧૪૩ “સમ્યકત્વ તેમ જ જ્ઞાનની જે એકને સંજ્ઞા મળે,
નયપક્ષ સકલ રહિત ભાખ્યો તે “સમયનો સાર” છે.” ૧૪૪ શુદ્ધ આત્માનો અનુભવ થાય છે ત્યારે બે નયોને જાણે છે. જાણે છે બે નયોના સ્વરૂપને એટલે કે સામાન્યને જાણે, વિશેષને જાણે, દ્રવ્યને જાણે, પર્યાયને જાણે, જ્યારે અનુભવ થાય ત્યારે જ પર્યાયને જાણે એમ કહે છે. (બરાબર, ત્યારે જ જાણી શકે ) નયથી જાણે વ્હીં.
આહાહાહા.. અમૃત જેવી છે આ ગાથા (જાણે પણ નયપક્ષ થતો નથી) જાણવાનો નિષેધ નથી; પણ નયપક્ષનો નિષેધ છે. વિકલ્પ છે ને! તે આકુળતા છે, ત્યાં સુધી સમ્યગ્દર્શન ન થાય. નયજ્ઞાનમાં સમ્યગ્દર્શન નથી, આત્મજ્ઞાનમાં સમ્યગ્દર્શન છે. નયજ્ઞાન પરાયું-પારકું જ્ઞાન છે, ઈન્દ્રિયજ્ઞાન છે, માનસિક જ્ઞાન છે, સાપેક્ષ છે (કોઈ, કોઈ, પોઈન્ટ તો બહુ જ સારા છે અંદર.)
પ્રશ્ન- દોનો નયો કો જાનતા હૈ યા દોનો નયકા વિષયકો જાનતા હૈ?
ઉત્તર:- વિષયકો જાનતા હૈ. સામાન્ય ઔર વિશેષ, દ્રવ્ય ઔર પર્યાય, ધ્રુવ ઔર ઉત્પાદ વ્યય સબકો જાનતા હૈ જ્ઞાન. એક સમયમેં જાનતા હૈ નિર્વિકલ્પ ધ્યાન કે કાલમેં. સમયથી પ્રતિબદ્ધ થાય ત્યારે જ્યાં સુધી ક્રમે ક્રમે જાણે ત્યાં સુધી નય છે. ત્યાં સુધી સમ્યગ્દર્શન નથી. શ્રદ્ધાનો વિષય જેમ એક સમયમાં પૂરો થાય છે. શ્રદ્ધાનો વિષય શ્રદ્ધા માટે એક સમયમાં એને પૂરો મળે છે. ધ્યાન રાખો, એવી રીતે શ્રદ્ધાની સાથે જે જ્ઞાન પ્રગટ થાય છે એનો સમય તો એક છે ને ઉત્પાદનો? સમ્યગ્દર્શનનો ઉત્પાદ અને સમ્યજ્ઞાનનો ઉત્પાદ ( એક સમયે ) સમય દો નહીં હૈ એક સમય હૈ. શ્રદ્ધા કો વિષય સામાન્ય પૂરા મિલતા હૈ-અહું કરને કે લીયે, વોહી સમય જ્ઞાનકો પૂરા વિષય મિલના ચાહિએ. બહોત બઢીયા, બહોત સરસ (આહા આજે તો અમૃત વરસે છે) બેન બોલ્યા ઈ સાચી વાત છે. આજે જુદાં જુદાં પ્રકારની વાતો આવે છે.
શ્રદ્ધાનો વિષય પૂરો થયો અને જ્ઞાનમાં જાણવાનો વિષય અધૂરો રહે તો સમ્યગ્દર્શન ન થાય. મોક્ષયનું કારણ મળ્યું પણ મોહ ક્ષય ન થયો એમાં વિધિ છે. શ્રદ્ધાને શ્રદ્ધાનો વિષય એક સમયમાં પૂરો મળ્યો અને જ્ઞાનની પર્યાયને એક સમયમાં જ્ઞય આખું પૂરું મળી ગયું. કાંઈપણ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com