________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાકાશ અને અલોકાકાશનું લક્ષણ ]
[૬૧
જીવો રહે છે, તેનાથી અનંતગણા પુદ્દગલો રહે છે, લોકાકાશના અસંખ્ય પ્રદેશોની બરાબર અસંખ્યાત કાલાણુ રહે છે. તથા આખા લોકાકાશમાં ધર્મ અને અધર્મ પણ વ્યાસ છે, તો આ નાના પ્રમાણવાળા લોકાકાશમાં આટલાં અનંત દ્રવ્યો કેમ રહી શકે?
ઉત્ત૨:- (૧) જેમ એક દીવાના પ્રકાશમાં અનેક દીવાનો પ્રકાશ સમાઈ જાય છે, (૨) જેમ એક ગૂઢરસ વિશેષથી ભરેલા શીશાના પાત્રમાં ઘણું સુવર્ણ અવકાશ પામે છે, (૩) જેમ દૂધના ભરેલા ઘડામાં તેના પ્રમાણમાં રાખ (ભસ્મ ) અને સોઈઓ બરાબર સમાઈ જાય છે તેમ આકાશદ્રવ્યની વિશિષ્ટ અવકાશદાન શક્તિથી ઉપર કહેલાં અનંત દ્રવ્યો પણ લોકાકાશમાં સમાઈ જાય છે, તેના રહેવામાં કાંઈ બાધા આવતી નથી.
આકાશ દ્રવ્ય સ્વયં અમૂર્ત છે, તેથી અમૃત્તમાં અનંત અમૂર્ત જીવ તેમ જ ધર્મ-અધર્મ દ્રવ્ય તથા કાલાણુ (જે અમૂર્ત છે તે ) નિરાબાધ અવકાશ પામે છે. પુદ્દગલ પણ બે પ્રકારના છે: સૂક્ષ્મ તથા સ્થૂળ અનંત-બહુભાગ પુદ્ગલ સૂક્ષ્મરૂપે જ આકાશમાં વ્યાપ્ત છે. જે થોડા ભાગના સ્થૂળ પુદ્દગલસ્કંધો છે તે લોકાકાશમાં સમાઈ શકે છે.
૪. અવકાશદાન ન માનવામાં દોષ:- જો આ પ્રકારની અવકાશદાન શક્તિ ન હોય તો લોકના અસંખ્યાત પ્રદેશોમાં અસંખ્યાત ૫૨માણુઓનો જ નિવાસ હોય, અને એમ હોય
*
બૃ. દ્રવ્યસંગ્રહ પૃ. ૫૨, પં. હીરાલાલજીકૃત પૃ. ૬૬-૬૭
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com