________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૦]
[દ્રવ્ય-સંગ્રહ ભાવાર્થ- ૧. લોકાકાશ-અલોકાકાશ- (૧) જેટલા સ્થાનમાં બધાં દ્રવ્યો માલૂમ પડે તેને લોકાકાશ કહે છે. અને લોકાકાશની બહાર કેવળ આકાશ છે તેને અલોકાકાશ કહે છે. (૨) લોકના ત્રણ ભાગ છેઊર્ધ્વલોક, મધ્યલોક અને અધોલોક. આને જ ત્રણ લોક કહેવામાં આવે છે, અને તે લોકાકાશ છે. તેનાથી બહાર અનંત અલોકાકાશ છે.
૨. લોક અનાદિનિધન:- (૧) આ લોક અનાદિ અનંત છે. તેને કોઈએ પુરુષે બનાવ્યો નથી, કોઈ તેનો નાશ કરી શકતો નથી, કોઈએ તેને ધારણ કર્યો નથી અને કોઈ તેની રક્ષા કરતો નથી. (૨) આ લોકમાં જે જીવાદિ પદાર્થો* છે તે જુદા-જુદા અનાદિનિધન છે. તેમની અવસ્થાની પલટના થયા કરે છે–એ અપેક્ષાએ તેને ઊપજતાં વિણસતા કહીએ છીએ. સ્વર્ગ નરક, દીપાદિક છે તે અનાદિથી એ જ પ્રમાણે છે અને સદાકાળ એમ જ રહેશે. જીવાદિક વા સ્વર્ગાદિક સ્વયંસિદ્ધ છે. સંસારમાં જીવ છે તે જ યથાર્થ જ્ઞાન વડે મોક્ષમાર્ગ સાધનથી, સર્વજ્ઞવીતરાગ થાય છે ત્યારે તેને પરબ્રહ્મ કહેવામાં આવે છે. કોઈ જુદો આ જગતનો કર્તા પરમબ્રહ્મ નથી.
૩. નાના પ્રમાણવાળા લોકાકાશમાં અનંતદ્રવ્યો કેવી રીતે રહી શકે?
પ્રશ્ન:- આ *અસંખ્યાત પ્રદેશી લોકાકાશમાં અનંત
મોક્ષમાર્ગ પ્રકાશક. અ. ૫, પૃ. ૧૧૪–૧૧૫.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com