________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્મદ્રવ્યનું લક્ષણ ]
[ ૫૩ અન્વયાર્થ:- (મતિપરિળતાનાં) ગતિમાં પરિણમેલા (પુવાનનીવાનાં) પુદ્ગલ અને જીવોને (મનસારી) ચાલવામાં સહકારી (વર્ન:) ધર્મદ્રવ્ય છે. (યથા) જેવી રીતે (મસ્યાનાં) માછલીઓને (તોય) પાણી સહકારી છે. પણ (સી) તે ધર્મદ્રવ્ય ( છતાં) નહિ ચાલવાવાળાને (નૈવ નિયતિ) કદાપિ ચલાવતું નથી.
ભાવાર્થ- ૧. ગમન - જીવ અને પુદગલ એ બે દ્રવ્યોનો સામાન્ય ગુણ “સક્રિયત્ન છે, તેથી એ બે દ્રવ્યો ગમન કરે છે. ક્ષેત્રથી ક્ષેત્રમંતર ગમનરૂપ પરિસ્પદવાળી-ચલનવાળી ક્રિયા જેમાં વિદ્યમાન છે તે ક્રિયાવંત જીવ-પુદ્ગલ છે.
૨. ગતિનિમિત્તતા - ધર્માસ્તિકાય દ્રવ્યનો ગતિનિમિત્તતા વિશેષ ગુણ છે. આ દ્રવ્ય સિવાય બીજા કોઈ દ્રવ્યમાં તે નથી.
૩. એક જ કાળે સમસ્તને નિમિત્ત - એક જ કાળે ગતિપરિણત સમસ્ત જીવ-પુગલોને લોક સુધી ગમનનું તપણું ધર્મદ્રવ્યને જણાવે છે. કારણ કેઃ
(૧) કાળ અમે પુદ્ગલ એકપ્રદેશી હોવાથી તેમને તે સંભવતું નથી.
(૨) જીવ સમુદ્દઘાત સિવાય અન્યત્ર લોકના અસંખ્યાતમાં ભાગમાત્ર હોવાથી તેને તે સંભવતું નથી.
(૩) લોક અને અલોકની સીમા અચલિત હોવાથી આકાશને તે સંભવતું નથી.
(૧) (૨)
પ્રવચનસાર ગા. ૯૫. પૃ. ૧૫૦. બૃ. દ્રવ્યસંગ્રહ પૃ. ૬૮.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com