________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૦]
[ દ્રવ્ય-સંગ્રહુ અજીવ દ્રવ્ય ( શેય:) જાણવાં. (પુન:) પુદ્ગલદ્રવ્ય (રૂપવિગુણ:) રૂપાદિગુણવાળું (મૂર્તઃ) મૂર્તિક છે (1) અને (શેષા:) બાકીનાં દ્રવ્યો (સમૂર્તા:) અમૂર્તિક (અરૂપી) છે.
ભાવાર્થ- ૧. અજીવનો અર્થ- જે દ્રવ્યોમાં જાણવા દેખવાની શક્તિ ન હોય તેને અજીવ દ્રવ્યો કહે છે.
૨. અજીવ દ્રવ્યના ભેદો- અજીવ દ્રવ્યના પાંચ ભેદ છે. (૧) પુદ્ગલ (૨) ધર્મ, (૩) અધર્મ, (૪) આકાશ અને (૫) કાળ. તેમાં પુદ્ગલ મૂર્તિક છે; બાકીના ચાર દ્રવ્યો અમૂર્તિક છે. જેમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણએ ગુણો હોય તે મૂર્તિક છે; જેમાં તે ન હોય તે અમૂર્તિક છે. ગાથા ૭માં અમૂર્તિકની વ્યાખ્યા આપી છે. મૂર્તિક દ્રવ્યના એ ચાર ગુણો તથા તેની પર્યાયોનો કોઠો પૂર્વે આવી ગયો છે.
તાત્પર્ય- (૧) ઉપાદેયભૂત અનંત સુખરૂપ જીવાસ્તિકાયથી વિલક્ષણ હોવાથી આ હેયતત્ત્વ છે એમ સમજવું. (૨) આ ગાથાના પરિજ્ઞાનનું ફળ - પરમાત્મતત્ત્વથી અજીવ દ્રવ્યો ભિન્ન છે, (અર્થાત્ જીવા તેનું કાંઈ કોઈ પ્રકારે કરી શકે નહિ અને તેઓ જીવનું કાંઈ કોઈ પ્રકારે કરી શકે નહિ એવું દઢ નિશ્ચયાત્મક જ્ઞાન થવું તે છે.) (૩) પાંચ દ્રવ્યોનું
(૧) પંચાસ્તિકાય ગા. ૭૪ ટીકા પૃ. ૧૨૭ શ્રી જયસેનજી
પંચાસ્તિકાય ગા. ૭૫ ટીકા પૃ. ૧૨૯ શ્રી જયસેનજી (૩) બૃ. દ્રવ્યસંગ્રહ પૃ. ૬૯ દ્વિતીય અધિકાર શરૂમાં વિશેષ ગાથાની ટીકા. (૪) પ્રવચનસાર ગા. ૯૫ પૃ. ૧૫૦ (ઉપર તાત્પર્યમાં ૧ થી ૪ના આ આધારો
છે).
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com