________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮ ]
નિશ્ચય.
[દ્રવ્ય-સંગ્રહ
૩. નયોઃ- આ ગાથામાં બે નયો છે- (૧) વ્યવહાર, (૨)
(૪) ૫૨ દ્રવ્યોને જીવ ખરેખર ભોગવી શકતો નથી, પણ જીવનો વિભાવ તે પ્રસંગે નિમિત્તમાત્ર છે. એટલું જ્ઞાન કરાવવા માટે જીવ સાતા-અસાતા કર્મના અનુભાગરૂપ ફળને ભોગવે છે, એમ વ્યવહારનયે (ભોક્તા) કહેવાય છે, વળી કર્મોના ફળપણે અનુકૂળપ્રતિકૂળ ( સુખ-દુઃખરૂપ) પદાર્થોનો સંયોગ થાય છે તેને ભોગવવાનો ભાવ જીવ કરે છે એટલું જીવનું નિમિત્તમાત્રપણું બતાવવા માટે જીવ સુખ-દુઃખરૂપ બાહ્ય પદાર્થો ભોગવે છે એમ વ્યવહારનયે કહેવામાં આવે છે. તેથી ખરેખર જીવ કર્મના અનુભાગને કે અનુકૂળ-પ્રતિકૂળ પદાર્થોને ભોગવે છે, એમ સમજવું નહીં.
(૬) અહીં નિશ્ચયનયના બે વિભાગ પડે છે-(૧) અશુદ્ધ નિશ્ચયનય, (૨) શુદ્ધ નિશ્ચયનય. અશુદ્ધ નિશ્ચયનયથી હર્ષ વિષાદરૂપ સુખ-દુ:ખને જીવ ભોગવે છે; તથા શુદ્ધ નિશ્ચયનયથી અવિનાશી આનંદરૂપ સુખામૃતને જીવ ભોગવે છે.
તાત્પર્ય:- કર્તા સંબંધે જે ગા. ૮ માં જણાવ્યું છે તે આ ગાથાને પણ લાગુ પડે છે. જીવના કર્તૃત્વ અને ભોકતૃત્વ વિવેચન કરવાનો ગ્રંથકારનો એવો અભિપ્રાય છે કે જીવ યથાર્થ વસ્તુસ્વરૂપને જાણીને
-
૧. આ અનુપરિત અસદ્દભૂત (જુઠો ) વ્યવહારનય છે.
૨. આ ઉપરિત અસદ્દભૂત (જુઠો ) વ્યવહારનય છે.
૩૫. હીરાલાલજીકૃત દ્રવ્યસંગ્રહ પૃ. ૨૩.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com