________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬]
[દ્રવ્ય-સંગ્રહ પરજીવોનું કે પરદ્રવ્યનું આ જીવ ત્રણકાળ-ત્રણલોકમાં કાંઈ કરી શકતો નથી, તેમજ તેનું નિમિત્ત પણ થઈ શકતો નથી; એમ સમજવું.
તાત્પર્ય - (૧) શુદ્ધ-અશુદ્ધ ભાવોનું જે પરિણમન છે તેનું કર્તુત્વ જીવને છે એ જાણવા યોગ્ય છે, પણ હસ્તાદિ શરીરની કોઈપણ ક્રિયાનો કર્તા જીવ કદી પણ (-એક સમય પણ ) નથી એમ નક્કી કરવું. એમ નક્કી કરવામાં આવે તો જ-શરીરની કે પરપદાર્થનીબોલવાની ખાવા-પીવાની આદિ ક્રિયાની જે અનાદિની જીવની કર્તુત્વબુદ્ધિ છે તે છૂટે અને પોતાના આત્મસ્વરૂપની ભાવના કરે. (૨) જીવને જાણીને અચૈતન્ય સ્વભાવને લીધે જ્ઞાનથી ભિન્ન એવાં જીવ સંબદ્ધ કે અસંબદ્ધ અજીવને પોતાથી ભેદબુદ્ધિની પ્રસિદ્ધિ અર્થ જાણો. (૩) નિત્ય નિરંજન, નિષ્ક્રિય, નિજ આત્મસ્વરૂપની ભાવના રહિત અજ્ઞાની જીવો કર્મ-નોકદિના પોતે કર્તા નહીં હોવા છતાં માને છે, તેથી તેમને કર્મ-નોકર્મ આદિના કર્તા કહેવામાં આવે છે.
૫. વિશેષ:- ગાથા ર૯-૩૦ તથા ૩રથી૩૭ સુધી ભાવાગ્નવ-બંધ -પુણ્ય-પાપ, સંવર, નિર્જરા અને મોક્ષ એ જીવભાવોને લગતી છે. માટે આ ગાથા સાથે તે ગાથાઓ પણ વાંચવી. ૮.
૧. બૃ. દ્રવ્યસંગ્રહ ગા. ૮, પૃ. ૧૯.
૨. પંચાસ્તિકાય ગા. ૧૨૩, પૃ. ૧૮૫.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com