________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અર્થ-સંગ્રહ]
[૧૮૫
અમનસ્ક - મનરહિત જીવ, અસંજ્ઞી. હિતમાં પ્રવર્તવાની અથવા
અહિતથી દૂર રહેવાની શિક્ષા જે ગ્રહણ કરે છે તે સંજ્ઞી છે અને હિત-અહિતની શિક્ષા, ક્રિયા, વગેરેનું જે ગ્રહણ નથી કરતા તે અસંજ્ઞી જ હોય છે. એકેન્દ્રિયથી ચાર ઇન્દ્રિયવાળા સુધીના જીવો અસંગી જ હોય છે, પંચેન્દ્રિય તિર્યંચો સંજ્ઞી અને અસંજ્ઞી બન્ને પ્રકારના હોય છે. બાકીના મનુષ્ય, દેવ, નારકીના જીવો સંશી જ હોય છે. (કવળીને અમનસ્ક કહેવામાં આવે છે તે જુદો પ્રકાર છે.)
અમૂર્તિક- (અરૂપી) જેમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ (રંગ) ન હોય
અહંત પરમેષ્ઠી - ભાવ અને દ્રવ્યરૂપ જ્ઞાનાવરણાદિ ચાર ઘાતિ કર્મોનો
નાશ કરી, અનંત જ્ઞાનાદિ ચતુષ્ટય અથવા નવ કેવળલબ્ધિને ધારણ કરવાવાળા, સુધાદિ ૧૮ દોષરહિત શ્રી જિનેન્દ્ર ભગવાન, અહંત પરમાત્મા, જેઓ દેસહિત હોવાથી સકલપરમાત્મા કહેવાય છે.
અલોકાકાશ - જેમાં જીવાદિ પાંચ દ્રવ્યો સદાય રહેલા છે તે લોકાકાશ છે
અને જેમાં જીવાદિ પાંચ દ્રવ્યો નથી, કેવળ જે આકાશ દ્રવ્ય છે. એવા આકાશના ભાગને અલોકાકાશ કહે છે. લોકાકાશના ક્ષેત્રથી તે સર્વ તરફ અનંતગુણા ક્ષેત્રરૂપે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com