________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અર્થ- સંગ્રહ અઘાતિકર્મ- જે જ્ઞાન, દર્શન, સમ્યકત્વ, ચારિત્ર, વીર્ય આદિ જીવના
સ્વભાવના ઘાતમાં નિમિત્ત નથી પણ અવ્યાબાધ, અગુરુલઘુ વગેરે પ્રતિજીવી ગુણોના ઘાતમાં નિમિત્ત છે તે અઘાતિકર્મ કહે છે. તેના નામો-વેદનીય આયુ, નામ અને ગોત્ર. (તેના
નિમિત્તથી જીવને બાહ્ય સામગ્રીનો સંબંધ બને છે.) અધિકાર:- પ્રકરણ, પરિચ્છેદ, અધ્યાય. અચક્ષુદર્શન:- નેત્ર સિવાય બાકીની ઇન્દ્રિયો અને મનના સંબંધથી થતાં
મતિજ્ઞાન પહેલાં થવાવાળા સામાન્ય પ્રતિભાસ અથવા
અવલોકનને અચક્ષુદર્શન કહે છે. અજીવઃ- સુખ-દુઃખનું જ્ઞાન, હિતનો ઉધમ અને અહિતનો ભય-જેને
સદાય( –કદીપણ ) હોતા નથી તેને શ્રમણો અજીવ કહે છે. (અજીવ દ્રવ્યના પાંચ પ્રકાર છે-પુદ્ગલ પરમાણુઓ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આકાશ અને કાલાણુ )
(પંચાસ્તિકાય ગા. ૧૨૫) અણુ- સર્વ સ્કંધોનો જે અંતિમ ભાગ તેને પરમાણુ જાણો. તે
અવિભાગી, એક, શાશ્વત, મૂર્તપણે ઉપજનારો અને અશબ્દ છે. મૂર્તિત્વ ( રૂપીપણું ) ના કારણભૂત સ્પર્શ-રસ-ગંધવર્ણનો, પરમાણુથી કથનમાત્ર વડે જ ભેદ કરવામાં આવે છે. જે પૃથ્વી, પાણી,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com