________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૦]
[દ્રવ્યસંગ્રહું ભાવાર્થ- ૧. નિજ શુદ્ધાત્મામાં એકતારૂપ ધ્યાન કરવાથી નિશ્ચય-વ્યવહાર મોક્ષમાર્ગ પ્રગટે છે એવો નિયમ
મુનિદશાને ઉચિત ધ્યાનનું સામર્થ્ય પ્રગટ કરવાથી જીવને ૭મું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે, અને તે નિર્વિકલ્પ દશાથી ખસીને જ્યારે તે છઠ્ઠા ગુણસ્થાનમાં આવે છે ત્યારે તેને ૨૮ મૂળગુણરૂપ વ્યવહારમોક્ષમાર્ગ હોય છે. જ્યાં સુધી શ્રેણી માંડવાનો પ્રચંડ પુરુષાર્થ ન પ્રગટ કરે ત્યાં સુધી મુનિઓ વારંવાર સાતમા અને છઠ્ઠા ગુણસ્થાને આવે છે. આમ મુનિદશાના ધ્યાનનું સામર્થ્ય જ એવું હોય છે કે જ્યારે નિર્વિકલ્પ દશામાં તેઓ ન રહી શકે ત્યારે છઠ્ઠી ગુણસ્થાનને યોગ્ય વ્યવહારમોક્ષમાર્ગના વિકલ્પ આવે છે.
જીવને ચોથું ગુણસ્થાન પ્રથમ પ્રગટ થવા કાળે જે નિર્વિકલ્પ ધ્યાન પ્રગટે છે તે ધ્યાનથી ખસીને જ્યારે અવિરત સમ્યગ્દષ્ટિ સવિકલ્પ
* उत्तमसंहननस्यैकाग्रचिन्तानिरोधो ध्यानम्।
અર્થ – ઉત્તમ સંઘયણવાળાનું એકાગ્રતાપૂર્વક ચિંતાને રોકવું તે ધ્યાન છે. આ ધ્યાન અંતર્મુહૂર્ત (બે ઘડીથી કાંઈક ઓછા સમય) સુધી રહે છે. બીજી ક્રિયાઓથી ચિત્તને હઠાવીને એક જ ક્રિયામાં રાખવું તેને એકાગ્રચિંતાનિરોધ કહે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com