________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૬ ]
[ દ્રવ્યસંગ્રહ સાદિ મિથ્યાષ્ટિ કહેવાય છે.) આ પર્યાય ઉલટી-ઊંધીવિપરીત છે.
સમ્યગ્દર્શનઃ- શ્રદ્ધાગુણની શુદ્ધ પર્યાય છે, તેને આ ગાથામાં ‘માત્મા:રુપ' અર્થાત્ આત્માનું સ્વરૂપ કહ્યું છે. શ્રી પુરુષાર્થસિદ્ધિઉપાય ગાથા રરમાં “લાત્મએ તત' અર્થાત્ તે આત્મસ્વરૂપ છે એમ કહ્યું છે. તે જ ગાથામાં તેને “સર્વવર્તવ્યમ' અર્થાત્ સદાકાળ કરવા યોગ્ય છે એમ કહ્યું છે. (એ શાસ્ત્ર શ્રાવકાચાર છે.) આ પર્યાય ચોથે ગુણસ્થાને પ્રથમ ઉપશમ-સમ્યકત્વ થતાં જ પ્રગટે છે. તે પુરુષાર્થસિદ્ધિ ઉપાય શાસ્ત્રની ગાથા નીચે પ્રમાણે છે:
जीवाजीवादीनां तत्त्वार्थानां सदेव कर्तव्यम्। श्रद्धानं विपरीताभिनिवेश विविक्तमात्मरुपं तत्।।
(આ ગાથાનો અર્થ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક પૃ. ૩૨૦માં નીચે પ્રમાણે કર્યો છે):
અર્થ - વિપરીત અભિનિવેશ રહિત જીવ-અજીવાદિ તત્ત્વાર્થોનું શ્રદ્ધાન સદાકાળ કરવા યોગ્ય છે. એ શ્રદ્ધાન આત્માનું જ સ્વરૂપ છે, કારણ કે દર્શનમોહરૂપ ઉપાધિ દૂર થતાં પ્રગટ થાય છે, માટે એ આત્માનો સ્વભાવ છે. ચતુર્થાદિ ગુણસ્થાનમાં પ્રગટ હોય છે અને પછી સિદ્ધ અવસ્થામાં પણ સદાકાળ તેનો સદભાવ રહે છે.”
(૩) મિશ્ર અવસ્થાઃ- જે કાંઈક સમ્યક અને કાંઈક મિથ્યાત્વરૂપ હોય છે. આ અવસ્થા સાદિ મિથ્યાષ્ટિને હોય છે અને તે સમ્યકત્વથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com