________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૪]
દ્રવ્યસંગ્રહ છે. એ ગા. ૩૯માં જણાવ્યું છે. શ્રી સમયસારની ગા. ર૭૭ને અનુસરીને આ ગાથા છે. નિશ્ચયસમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા તે “રત્નત્રય” છે એમ મૂળ ગાથામાં જ કહ્યું છે, તેથી એમ સમજવું કે શુદ્ધ આત્મા દર્શન છે કારણ કે તે દર્શનનો આશ્રય છે, શુદ્ધ આત્મા જ્ઞાન છે કારણ કે તે જ્ઞાનનો આશ્રય છે; શુદ્ધ આત્મા ચારિત્ર છે કારણ કે તે ચારિત્રનો આશ્રય છે. તેમાં વ્યવહારનય પ્રતિષેધ્ય છે એમ સમજવું.
૩. સર્વે વ્યવહાર છોડવા યોગ્ય છે- શ્રી યોગસાર (શ્રી યોગીન્દ્રદેવકૃત) ની ગાથા ૩૭, ૫૫ તથા ૮૯માં સર્વે વ્યવહાર છોડવા યોગ્ય છે એમ કહ્યું છે. તે છોડયા વિના તે રાગાંશનો અભાવ શી રીતે થાય? વ્યવહારરત્નત્રય છે ખરાં, જો તે ન જ હોય તો છોડવાં કોને? જો તે સાચો ધર્મ હોય તો છોડવા યોગ્ય હોઈ શકે નહિ-તેથી તેને માત્ર વ્યવહારનયે “સાધક' કહ્યાં છે પણ તે ઉપરથી તેમાં અંશે ધર્મ છે એમ માનવું તે ભ્રમ છે.
૪. મોક્ષનું કારણ- એ રત્નત્રયરૂપે પરિણમેલો પોતાનો આત્મા તે જ મોક્ષનું ખરું-વાસ્તવિક નિશ્ચય કારણ (સાધન) છે એમ જણાવી વ્યવહારરત્નત્રય તે મોક્ષનું ખરું કારણ નથી એમ સ્પષ્ટ જણાવ્યું છે. મોક્ષમાર્ગના ત્રણે અવયવોની વ્યાખ્યા હવે પછી ગાથા ૪૧-૪૨ અને ૪૬માં આપી છે. ૪૦.
૧. અહીં સાધક એટલે નિમિત્ત-એવો અર્થ સમજવો.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com