________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિશ્ચયમોક્ષમાર્ગનું વિશેષ કથન ]
[ ૧૩૩
અને સંયોગ હોય તો પોતે સુખી અને પ્રતિકૂળ પદાર્થોનો સંયોગ હોય તો દુ:ખી એવી મિથ્યા માન્યતા કરી રહ્યો છે. ૫૨૫દાર્થો ઇષ્ટ-અનિષ્ટ કદી છે જ નહિ એમ તે માનતો નથી. તેથી ૫૨૫દાર્થો પ્રત્યેનો આશ્રય છોડાવી ત્રિકાળી શુદ્ધ ઉપાદાન-નિજશુદ્ધાત્માનો આશ્રય અહીં કરાવ્યો છે.
(૨) વ્યવહા૨ત્નત્રય છે તે પરદ્રવ્યપ્રવૃત્તિ છે, તેના આશ્રયનું ફળ સંસાર છે, તેથી પરદ્રવ્ય તરફની પ્રવૃત્તિ છોડી, (સ્વદ્રવ્યના આશ્રયરૂપ ) સ્વદ્રવ્યપ્રવૃત્તિ કર્યા વિના નિશ્ચયરત્નત્રય કદી પ્રગટે નહિ.
(૩) પોતાનો શુદ્ધાત્મા જ પોતાનું આલંબન-સાધન છે. અને તે ઉપરથી નિરપેક્ષ-નિરાલંબ છે, એવું વસ્તુનું સ્વરૂપ છે.
(૪) અને તેથી જ નિજ ‘૫રમાત્મતત્ત્વનાં સમ્યક્–શ્રદ્ધાનજ્ઞાન-અનુષ્ઠાનરૂપ શુદ્વરત્નત્રયમાર્ગ પરમનિરપેક્ષ હોવાથી મોક્ષનો સાચો ઉપાય છે. અને તે શુદ્ઘરત્નત્રયનું ફળ સ્વાત્મોપલબ્ધિ (મોક્ષની પ્રાપ્તિ ) છે. ૨. તે ત્રિકમય નિજઆત્માત્મા-આ કથન દ્રવ્યાર્થિક-નયનું
૧. નિયમસાર ગા. ૯૯, પ્રવચનસાર ગા. ૧૯૨.
૨. નિયમસાર ગા. ૨ ટીકા. પૃ. ૭ તે (શુદ્ઘરત્નત્રયમાર્ગ) વ્યવહા૨ત્નત્રયથી ૫૨મનિ૨પેક્ષ એવો તેનો અર્થ છે. (વ્યવહા૨નું ફળ સંસાર છે. જુઓ સ. સાર. ગા. ૧૧નો ભાવાર્થ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com