________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષમાર્ગનું બે પ્રકારે નિરૂપણ ] પુગળ પદાર્થો છે. (સિદ્ધાંત) સાધકને ચારિત્ર ગુણની એક પર્યાયમાં બે અંશો-એક વીતરાગી અંશ અને એક સરાગી અંશ છે. અગ્નિ જેમ નિમિત્ત તરીકે વ્યવહારનયે સાધક છે. તેમ વ્યવહારમોક્ષમાર્ગ નિમિત્ત તરીકે વ્યવહારનયે સાધક છે એટલે કે ઉપચારથી સાધક છે – ખરેખર સાધક નથી. ખરેખર સાધક હોય તો તે “વ્યવહાર” એવું નામ પામે
નહિ.
૭. આ શાસ્ત્રની ગાથા ૪૫ જે વ્યવહાર-ચારિત્ર સંબંધી છે તથા ગાથા ૪૯ જેમાં મંત્રો જપવા તથા પંચપરમેષ્ઠીનું ધ્યાન કરવા જણાવ્યું છે તે વ્યવહાર-મોક્ષમાર્ગને પ્રરૂપે છે.
૮. સાધક વ્યવહારનયે:- આ અધિકારમાં તથા બીજા સ્થળોએ વ્યવહારને નિશ્ચયનો સાધક કહ્યો છે ત્યાં દરેક સ્થળે તે સાધક વ્યવહારનયે હોવાથી તેનો અર્થ નિમિત્તમાત્ર છે એમ સમજવું. વળી પહેલો વ્યવહાર અને પછી નિશ્ચય એમ કેટલાંક માને છે તે યથાર્થ નથી; કેમકે નિશ્ચયરૂપ સાધ્ય થાય ત્યારે તે વખતના કે પૂર્વના રાગાંશને
વ્યવહાર” (ઉપચાર) કારણ કહેવાય. જો નિશ્ચયરૂપ સાધ્ય (કાર્ય) ના થાય તો સાધક કોનું? કાર્ય થયા વિના કોઈપણ વસ્તુ કે પર્યાયને નિમિત્તકારણ કહી શકાય નહીં. કાર્ય વિના કારણે કોનું કહેવું? માટે કાર્ય થયા પહેલાં તે વખતનો રાગાંશ કે પૂર્વનો રાગાંશ વ્યવહાર-મોક્ષમાર્ગ - (વ્યવહાર) સાધક એવું નામ પામે નહિ.
૯. નિશ્ચય સાધક- પુરુષ તે જ (આત્મા જ) અભેદનયે શુદ્ધનયનો વિષય હોવાથી, શુદ્ધાત્મનો સાધક હોવાથી, શુદ્ધ અભિપ્રાયરૂપે પરિણત હોવાથી શુદ્ધ છે એમ જાણવું. જુઓ, સમયસાર ગા. ૧૪
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com