________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૬ ]
[દ્રવ્યસંગ્રહ
(૭) રાજમલ્લજી કૃત શ્રી સમયસાર કળશ ટીકામાં જીવઅધિકારમાં કળશ ૩૧ની ટીકા રૃ. ૪૪માં નીચે પ્રમાણે કહ્યું છે-“ વળી કેવો છે. આત્મા ? વર્શનજ્ઞાનવૃતૈ:તપરિણતિ:। દર્શન કહેતાં શ્રદ્ધા, રુચિ, પ્રતીતિ, જ્ઞાન કહેતાં જાણપણું, ચારિત્ર કહેતાં શુદ્ધપરિણતિ-એવાં જે રત્નત્રય તેનું કૃત કહેતાં કર્યું છે, પરિણતિ કહેતાં પરિણમન, જે એવો છે. ભાવાર્થ-એવો જે “મિથ્યાત્વ-પરિણતિનો ત્યાગી થતાં શુદ્ધસ્વરૂપનો અનુભવ હોતાં સાક્ષાત્ રત્નત્રય ઘટે છે. આગળ જતાં કહ્યું છે કે ભાવાર્થ-એવો જે “સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગઃ ” એવું જે કહ્યું છે તે સર્વ જૈનસિદ્ધાંત માંહે છે અને તે જ પ્રમાણ છે.”
22
99
આ ઉપરથી સિદ્ધ થાય છે કે ચોથે ગુણસ્થાને મિથ્યાત્વનો ત્યાગ થતાં જ સાક્ષાત્ રત્નત્રય પ્રગટે છે. વળી તે જ શાસ્ત્રમાં કળશ ૬ ની ટીકા રૃ. ૧૩માં પણ તે જ પ્રમાણે કહ્યું છે.
30
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com