________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ત્રીજા અધિકારની ભૂમિકા]
[ ૧૨૫ ૯. આ સંબંધમાં વિશેષ આધારો નીચે મુજબ છે:
(૧) શ્રી પ્રવચનસાર-ચરણાનુયોગ અધિકાર, ગા. ૪૮, પૃ. ૩૪૨, શ્રાવકોને પ્રચૂરપણે શુભોપયોગ વર્તે છે, તેથી જો કે તેઓ કોઈ કોઈ કાળે શુદ્ધ ઉપયોગભાવના કરે છે તો પણ શુભોપયોગી કહેવામાં આવે છે. (ભાવના=એકાગ્રતા.)
(૨) શ્રી પ્રવચનસાર ગા. ૧૧, પૃ. ૧૩, સં.-રત્નત્રયાત્મક ધર્મ સાગાર-અણગારને હોય છે.
(૩) શ્રી ભાવપાહુડ ગા. ૬૬માં કહ્યું છે કે-શ્રાવકપણા તથા મુનિપણાના કારણભૂત ભાવ જ છે.
(૪) મોક્ષપાહુડ ગા. ૧૦૬ હિંદી ટીકા, પૃ. ૩૬૦માં કહ્યું છે કે – “એ રીતે સર્વ કર્મના અભાવરૂપ મોક્ષ થાય છે તેનું કારણ સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર કહેવાય છે, તેની પ્રાપ્તિ ચોથે ગુણસ્થાને સમ્યક્ત પ્રગટતાં એકદેશ કહીએ.”
(૫) નિયમસાર ગા. ૧૪૯, પૃ. ૩૦૦-૩૦૧માં કહ્યું છે કેઅંતરાત્માને નિશ્ચય-આવશ્યક હોય છે, ટીકામાં કહે છે કેઅસંતસમ્યગ્દષ્ટિ જઘન્ય અંતરાત્મા છે એટલે તેને નિશ્ચય-વ્યવહારનયે આવશ્યક હોય છે.
(૬) શ્રી યોગીન્દ્રદેવકૃત યોગસાર ગા. ૬૫માં “શ્રાવક હો યા મુનિ હો, જે કોઈ નિજ આત્મામાં વાસ કરે છે તે શીધ્ર સિદ્ધિ-સુખ પામે છે એમ શ્રી જિનવરે કહ્યું છે.'
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com