________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુણ્ય અને પાપનું લક્ષણ ]
[૧૧૩ ઘાતી કર્મોનો બંધ તો નિરંતર થાય છે જે સર્વ પાપરૂપ જ છે અને એ જ આત્મગુણનો ઘાતક છે; માટે અશુદ્ધ શુભાશુભ ભાવો વડે કર્મબંધ થાય તેને ભલો-બૂરો માનવો એ જ મિથ્યાશ્રદ્ધાન છે, અને એવા શ્રદ્ધાનથી પુણ્ય-પાપ તત્ત્વોની પણ સત્ય શ્રદ્ધા થતી નથી. (અહીં કર્મને ઘાતક કહ્યાં; તે જીવ જ્યારે પોતાના ભાવનો ઘાતક થાય છે ત્યારે દ્રવ્યકર્મ ઉપર નિમિત્ત તરીકે ઘાતકનો આરોપ આવે છે એમ સમજવું.)
૩. વાસ્તવિક સ્વરૂપઃ- પરમાર્થતઃ (વાસ્તવમાં) પુણ્ય-પાપભાવ આત્માને અહિતકર છે. સમ્યગ્દષ્ટિને પુણ્યભાવથી (શુભોપયોગથી) આંશિક સંવર-નિર્જરા થાય છે એ માન્યતા જુઠી છે.
૪. શ્રાવક-મુનિની શુભકિયા સંબંધી સ્પષ્ટતા- કોઈ ભ્રાંતિ આણે છે કે મિથ્યાષ્ટિની જે યતિપણાની ક્રિયા છે તે તો બંધનું કારણ છે, પણ સમ્યગ્દષ્ટિને જે યતિપણાની શુભક્રિયા છે તે મોક્ષનું કારણ છે, કેમકે અનુભવજ્ઞાન તથા દયા, વ્રત, તપ, સંયમરૂપ ક્રિયા બન્ને મળી જ્ઞાનાવરણાદિ કર્મોનો ક્ષય કરે છે. આવી પ્રતીતિ કોઈ અજ્ઞાની જીવ કરે છે. તેનું સમાધાનઃ- જેટલી શુભ-અશુભ ક્રિયા, બહિર્ષલ્પરૂપ વિકલ્પ અથવા અંતર્જલ્પરૂપ વિકલ્પ અથવા દ્રવ્યના વિચાર અથવા શુદ્ધસ્વરૂપના વિચાર ઇત્યાદિ સમસ્ત કર્મબંધનાં કારણ છે. એવી ક્રિયાનો એવો જ સ્વભાવ છે.
૧. મોક્ષમાર્ગ પ્રકાશક પૃ. ૨૩૧.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com