________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૨]
[દ્રવ્યસંગ્રહ શુભનાભ (ગોત્ર) શુભગોત્ર-ઉચ્ચગોત્ર-એ સર્વે (પુષ્ય) પુણ્યપ્રકૃતિઓ છે (૨) અને (પાળિ) અશાતાવેદનીય, અશુભઆયુ, અશુભનામ અને નીચગોત્ર તથા ચાર ઘાતિયા કર્મો તે (પાપ) પાપ પ્રકૃતિઓ છે.
( જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અન્તરાય એ ચાર ઘાતિયા કર્મ પાપરૂપ છે અને વેદનીય, આયુ, નામ, ગોત્ર એ પુણ્ય અને પાપ બન્ને રૂપ છે.)
ભાવાર્થ- ૧. પુણ્ય-પાપ:- (૧) દયા, દાન, ભક્તિ, પૂજા, વ્રત વગેરેના શુભભાવ (મંદકષાયરૂપ) જીવને થાય તે અરૂપી અશુદ્ધભાવ છે, તે ભાવપુર્ણ છે. તે સમયે સાતવેદનીય, શુભનામ આદિ કર્મયોગ્ય પરમાણુઓનો સમૂહ સ્વયં સ્વતઃ એકક્ષેત્રાવગાહ સંબંધે જીવની સાથે બંધાય છે, તે દ્રવ્યપુણ્ય છે. (તેમાં જીવનો પુણ્યરૂપ અશુદ્ધભાવ નિમિત્ત માત્ર છે.)
(૨) મિથ્યાત્વ, હિંસા, અસત્ય, ચોરી વગેરેના અશુભ ભાવ જીવને થાય છે તે અરૂપી અશુદ્ધ ભાવ છે, તે ભાવપાપ છે. તે સમયે અસતાવેદનીય, અશુભનામ આદિ કર્મયોગ્ય પરમાણુઓનો સમૂહું સ્વયંસ્વતઃ એકક્ષેત્રાવગાહુ સંબંધે જીવની સાથે બંધાય છે તે દ્રવ્યપાપ છે. (તેમાં જીવનો પાપરૂપ અશુદ્ધભાવ નિમિત્ત માત્ર છે.)
૨. પુણ્ય-પાપભાવ વડે ઘાતી કર્મોનો બંધ નિરંતર થાય છે. શુભાશુભ ભાવો વડે પુણ્ય-પાપના વિશેષો તો અઘાતિકર્મોમાં થાય છે, પણ અઘાતકર્મો કાંઈ આત્મગુણના ઘાતક નથી. બીજું, શુભાશુભ ભાવોમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com