________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષનાં ભેદ અને લક્ષણ ]
[ ૧૦૭
રૂપ (કર્મને હણવાની) બુદ્ધિ કોઈ કાળે ન કરે તે લક્ષણ અભવ્યત્વ ગુણનું સમજવું.
૯. કર્મોદય નિરંતર હોવાથી શુદ્ધાત્મભાવના ન બની શકે એવી શંકા સંબંધી પ્રશ્નોત૨:
પ્રશ્ન:- સંસારીને નિરંતર કર્મબંધ છે તેમજ ઉદય પણ છે, તો શુદ્ધાત્મભાવનાનો પ્રસંગ જીવને દેખાતો નથી, તો મોક્ષ તો ક્યાંથી થાય?
ઉત્ત૨:- ભગવાનનો ઉપદેશ ભવ્ય સંજ્ઞી પર્યાપ્ત જીવોને જ છે કેમકે તેઓ ધર્મ કરવાની પાત્રતા ધરાવે છે. ચારે ગતિના સંજ્ઞી પર્યાપ્ત જીવ અનાદિથી મિથ્યાદષ્ટિ હોવા છતાં ભગવાનના ઉપદેશ અનુસાર યથાર્થ પુરુષાર્થ કરવાથી નિશ્ચય સમ્યગ્દર્શન પામી શકે છે. સંશી પંચેન્દ્રિય તિર્યંચ પંચમ ગુણસ્થાન પ્રાપ્ત કરી શકે છે. આ કાળમાં આ ક્ષેત્રે જન્મેલા પુરુષો સાતમાં ગુણસ્થાન સુધી પહોંચી શકે છે અને સ્ત્રીઓ ત્રણે કાળે પંચમ ગુણસ્થાન સુધી પહોંચી શકે છે. તેનો ઉપાય નીચે પ્રમાણે છે.
(૧) કર્મ અચેતન છે તેથી જ્ઞાનને અને કર્મને વ્યતિરેકપણું છે, છતાં આત્મા અને કર્મનો વિવેક નહિ કરનારા શુદ્ધાત્મભાવના કરી શકતા નથી; પણ આત્માના અને કર્મના વિવેકપણાથી પોતાના પુરુષાર્થ દ્વારા પ્રબળકર્મનો જીવને મેળાપ હોવા છતાં જીવ શુદ્ઘનય અનુસાર બોધ થવા માત્રથી પોતાના એક જ્ઞાયકભાવને અનુભવી શકે છે.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com