________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૦]
દ્રવ્યસંગ્રહ (૨) તેની ટીકામાં કહ્યું છે કે - “માર્ગ ખરેખર સંવર છે, તેના નિમિત્તે (તેના અર્થે) ઇંદ્રિયો, કષાયો અને સંજ્ઞાઓનો જેટલા અંશે અથવા જેટલો કાળ નિગ્રહ કરવામાં આવે છે તેટલા અંશે અથવા તેટલો કાળ પાપાસ્રવ દ્વારા બંધ થાય છે.”
(૩) શુભોપયોગને સંવર કહ્યો નથી પણ માર્ગ ખરેખર સંવર છે એમ સ્પષ્ટતા કરી છે. વળી ત્યાં “જેટલા અંશે –“તેટલા અંશે' એ શબ્દો વાપર્યા છે, તે બતાવે છે કે સાધક જીવોને ચારિત્રની એક પર્યાયમાં બે અંશો હોય છે. (૧) વીતરાગી અંશ અને (૨) રાગ અંશ છે. તેમાં જે વીતરાગી અંશ અર્થાત્ શુદ્ધ પરિણતિ કષાયના અભાવરૂપ છે તે સંવર છે, જે રાગ અંશ છે શુભોપયોગ છે; તે તો બંધનું જ કારણ છે તેને સંવર માનવો તે ભ્રમણા છે.
(૪) આ શુભોપયોગ ભૂમિકાનુસાર વીતરાગી શુદ્ધ પરિણતિનો સહચર છે, તેથી તેને સંવરનું (ઉપાદાનકારણ નહિ પણ) માત્ર નિમિત્તકારણ કહેવામાં આવે છે.
(૫) તે નિમિત્તકારણ છે એવું જ્ઞાન કરાવવાનું પ્રયોજન એ છે કે આવો શુભોપયોગ સાધક જીવને તન્મયબુદ્ધિએ-એકત્વબુદ્ધિએ હોતો નથી પણ નિષેધબુદ્ધિએ (હયબુદ્ધિએ-વિયોગબુદ્ધિએ) હોય છે, તેને તે ઓળંગી જવા માગે છે અને તેનો પુરુષાર્થ ચાલુ છે, શુદ્ધતાનો પુરુષાર્થ ક્રમે ક્રમે વધારી શુભ ભાવનો અભાવ કરશે. આ કારણે જ વ્યવહાર રત્નત્રયરૂપ શુભોપયોગ પરમાર્થે બાધક હોવા છતાં સહુચરહોવાથી વ્યવહારનયે નિશ્ચયનયનો સાધક એટલે ભિન્ન સાધક-સાધ્ય (નિમિત્તરૂપે) કહેવાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com