________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવસંવરના ભેદ]
[ ૯૭
ભાવસંવરનો ભેદ * वदसमिदीगुत्तीओ धम्माणुपिहा परीसहजओ य। चारित्तं 'बहुभेयं णायव्वा भावसंवरविसेसा।।३४।। व्रतसमितिगुप्तयः धर्मानुप्रेक्षाः परीषहजयः च। चारित्रं बहुभेदं ज्ञातव्या: भावसंवरविशेषः।। ३४।।
અન્વયાર્થ- (વ્રતસતિગુણ:) વ્રત, સમિતિ અને ગુસ, (ધર્માનુપ્રેક્ષ:) ધર્મ અનુપ્રેક્ષા, (પરીષદન:) પરીષહજય () અને (વારિત્રે વઘુવં) ઘણા ભેદવાળું ચારિત્ર એ (ભાવસંવરવિશેષા) ભાવસંવરવિશેષ (જ્ઞાતવ્યા:) જાણવા.
ભાવાર્થ- ૧. વ્રત-સમિતિ-ગુતિઃ- આ ગાથા સંવર અધિકારની છે. માટે અહીં નિશ્ચયવ્રત-નિશ્ચયસમિતિ-નિશ્ચય ગુતિ સમજવાં. વ્યવહાર વ્રત-સમિતિ-ગુતિ ગાથા ૪૫માં કહી છે તે તો આસ્રવ છે.
૨. નિશ્ચયવત:- નિશ્ચયે વિશુદ્ધ જ્ઞાન-દર્શનસ્વભાવ નિજ આત્મત્વની ભાવનાથી ઉત્પન્ન સુખામૃતના આસ્વાદરૂપી બળથી સમસ્ત શુભાશુભ રાગાદિ વિકલ્પથી નિવૃત્તિ તે વ્રત છે.
+
* “વદ” ને બદલે “તવ” પણ પાઠ છે. તવ = તપ + “વહૃમેયા' પણ પાઠ છે જેનો અર્થ ઘણા પ્રકારના ભાવ સંવરના ભેદ જાણવા
જોઈએ ત્યારે “વદુમેવા: ભાવસંવરવિશેષા: જ્ઞાતવ્યા' એવો અન્વય થાય છે. ૧. બૃ. દ્રવ્યસંગ્રહ ગા. ૩૫ ટીકા.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com